Friday, March 13, 2026

અમદાવાદમાં આ તારીખે કાંકરિયા લેક મુલાકાતીઓ માટે બંધ રહેશે, જાણો કેમ ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના આંગણે ફિલ્મફેર એવોર્ડનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે 11 ઓક્ટોબર શનિવારે શહેરમાં યોજાનારા ફિલ્મફેર એવોર્ડને પગલે કાર્યક્રમ સ્થળ નજીક આવેલા કાંકરિયા પરિસર મુલાકાતીઓ માટે બંધ રાખવાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવાયો છે. કાંકરિયા લેક ફ્રન્ટ સાથે સાથે કાંકરિયા ઝુ અને બાલવાટિકા પણ આ દિવસે બંધ રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મણિનગરમાં આવેલ ટ્રાન્સ્ટેડિયા ખાતે 70મા ફિલ્મફેર એવોર્ડસનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન અનેક ફિલ્મી હસ્તીઓ અમદાવાદની મહેમાન બનશે. તારીખ 11 ઓક્ટોબરના રોજ ફિલ્મફેરનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે 11 ઓક્ટોબરના રોજ સલામતીને ધ્યાનમાં રાખીને કાંકરિયા લેક મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવનાર છે. તારીખ 11 ઓક્ટોબર, શનિવારના રોજ કાંકરિયા લેક, કાંકરિયા ઝુ, કિડ્સ સિટી, પ્રાણી સંગ્રહાલય સહિત તમામ રાઈડ્સ બંધ રાખવામાં આવનાર છે.

70મો ફિલ્મફેર એવોર્ડ્સ 2025, 11 ઓક્ટોબરના રોજ ગુજરાતના અમદાવાદમાં યોજાશે. ફિલ્મફેર એવોર્ડમાં બોલિવૂડના કિંગ શાહરુખ ખાન હોસ્ટ તરીકે દેખાશે, સાથે ફિલ્મમેકર કરણ જોહર તથા કરિશ્માઈ મનીષ પોલ પણ મંચ સંચાલન કરશે. એ રાત્રિ બોલિવૂડના ટોચના સ્ટાર અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, કૃતિ સેનન, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદીના ઝગમગતા પરફોર્મન્સથી ઉજ્જવળ બની રહેશે.

બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન ફરી એકવાર ફિલ્મફેર સ્ટેજ પર ધૂમ મચાવશે. શાહરૂખ ખાને સિનેમા પ્રેમીઓને ગુજરાત આવવા અને રાજ્યની સુંદરતા તેમજ ફિલ્મફેરનો આનંદ માણવા આમંત્રણ આપ્યું છે. 70મા ફિલ્મફેર એવોર્ડ્સ એક સ્ટાર્સથી ભરપૂર સાંજ હશે, જેમાં અભિષેક બચ્ચનથી લઈને સિદ્ધાંત ચતુર્વેદી સુધીના બધા જ લોકો હાજરી આપશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...