Sunday, March 15, 2026

વેપારીઓને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવનાર સ્વરૂપવાન યુવતી ઝડપાઈ, એક વર્ષથી હતી ફરાર

spot_img
Share

અમદાવાદ : સોશિયલ મીડિયા પર જો કોઈ સુંદર યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો ચેતી જજો, કારણ કે તે યુવતી તમારા ખિસ્સા ખાલી કરી શકે છે, આ જ પ્રકારે વેપારીઓને ફસાવી રૂપિયા પડાવનાર યુવતી પોલીસને હાથે લાગી છે, સ્વરૂપવાન યુવતી અને તેનાં સાગરીતોએ ભેગા મળી બે વેપારીઓ પાસેથી લાખો રૂપિયા અને દાગીનાં પડાવી લીધા હતા.યુવતીના ત્રણ સાગરિતોની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી.પરંતુ યુવતી છેલ્લા એક વર્ષથી પોલીસને હાથતાળી આપીને નાસી રહી હતી.યુવતીએ એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા અને યુવતીનું રિસેપ્શન પણ યોજવાનું હતું પરંતુ યુવતીના રિસેપ્શન પહેલા જ પોલીસે યુવતીની ચાલુ કથામાંથી ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મૂળ રાજકોટની હીના ઉર્ફે શીતલ ઉર્ફે જાનવી વાળોદરા નામની યુવતીની નરોડા પોલીસે ધરપકડ કરી છે, આ યુવતીએ પોતાના સાગરીતો સાથે મળીને પ્રેમજાળમાં ફસાવી રાતોરાત પૈસાદાર બનવાના સપના જોયા હતા. જોકે તેને ખબર ન હતી કે તેને રૂપિયાના મહેલના બદલે જેલમાં જવું પડશે. અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં હનીટ્રેપની બે ફરિયાદો નોંધાઈ હતી, જેમાં એક ફરિયાદમાં રાજસ્થાનનાં રિયલ એસ્ટેટના વેપારીને આ યુવતીએ શીતલ પટેલના નામે વ્હોટ્સએપ મેસેજ કરી નરોડા મળવા બોલાવ્યો હતો. જ્યાં વેપારીએ યુવતી સાથે ખરીદી કરી અને બાદમાં રોડ પર અચાનક એક ગાડીમાં 3 શખ્સો આવ્યા અને પોતાની પત્ની સાથે વેપારી શું કરે છે, તેમ કહીને બળાત્કારનાં ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 50 લાખ રૂપિયા માંગ્યા હતા. વેપારીનું અપહરણ કરી એક લાખ રોકડા અને 2.40 લાખનાં દાગીનાં પડાવી તમામ ફરાર થઈ ગયા હતા.

જયારે બીજી નરોડામાં નોંધાયેલી ફરિયાદમાં સુરતમાં રહેતા અને ન્યુટ્રીશીયન પાવડરનો વેપાર કરતા વેપારીને ફોન કરી શીતલ મહેતા તરીકેની ઓળખ આપી હતી. પોતાનું વજન ઉતારવા માટે ન્યુટ્રીશીયન પાવડર ખરીદવાનું કહીને વાતો શરૂ કરી હતી. જેની વિગતો સમજાવવાનાં નામે વેપારીને મળવા બોલાવી દહેગામ તરફ મળીને પોતાની એક્ટીવા પર કેનાલ પાસે લઈ ગઈ હતી. જ્યાં અચાનક ક્રેટા કારમાં 3 શખ્સો આવી પહોંચ્યા હતા જેમાંથી એક શખ્સે આરોપીના પાકિટમાં તપાસી ડ્રગ્સ જેવી પડીકી કાઢી અને વેપારી તેમજ યુવતી ડ્રગ્સ ડીલર છે તેવુ જણાવી અપહરણ કર્યું હતું. બાદમાં ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકીઓ આપી એક લાખની કિંમતની સોનાની લકી અને 3 લાખ રોકડા પડાવી લીધા હતા. આ બન્ને ફરિયાદો નોંધાયા બાદ નરોડા પોલીસે તે સમયે જયરાજસિંહ બોરીચા, વિજય સગર અને મંગળુભાઈ ખાચરની ધરપકડ કરી હતી. જોકે વેપારીઓને ફસાવીને મળવા બોલાવનાર મુખ્ય આરોપી એક વર્ષથી ફરાર હતી. તેને પકડી પાડવામાં હવે સફળતા મળી છે.

જોકે વેપારીઓને ફસાવીને મળવા બોલાવનાર મુખ્ય આરોપી એક વર્ષથી ફરાર હતી.પોલીસને બાતમી મળતા ગોતામાંથી યુવતીને ઝડપી પાડી હતી.યુવતીએ ગોતામાં રહેતા યુવક સાથે લગ્ન કરી લીધા હતા જે બાદ યુવતીનું યુવક સાથે રિસેપ્શન પણ યોજવાનું હતું પરંતુ રિસેપ્શનના આગલા દિવસે જ પોલીસે યુવતીને યુવક સાથે લગ્ન બાદ બેઠેલી કથામાંથી ઝડપી લીધી છે.

નરોડા પોલીસે આ ગુનામાં સંડોવાયેલી સ્વરૂપવાન યુવતીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. આ ટોળકીનાં આરોપીઓમાં યુવતી રાજકોટની, જ્યારે જયરાજ અમરેલીનો, વિજય રાજકોટ અને મંગળુ બોટાદનો રહેવાસી છે, તે તમામ એકઠા કઈ રીતે થયા અને આ રીતે કેટલા વેપારીઓને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યા છે અને પડાવેલા રૂપિયાનું શું કર્યું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...