Saturday, November 8, 2025

અમદાવાદમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના દરરોજ નોંધાયા આટલા કેસ, AMCનો વોટ્સએપ ફરિયાદ નંબર ફરી શરૂ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. અમદાવાદ શહેરમાં ચોમાસા અને શિયાળાની ડબલ ઋતુના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓક્ટોબર મહિનામાં શહેરમાં ડેન્ગ્યુના 253 કેસ અને પાણીજન્ય રોગોમાં કમળાના 199 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, ઝાડા-ઉલ્ટીના 241 અને ટાઇફોઇડના 223 કેસ નોંધાયા હતા, જોકે કોલેરાનો એક પણ કેસ નોંધાયો ન હોવાથી તંત્રને રાહત થઈ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, ઓક્ટોબર મહિનામાં શહેરમાં ડેન્ગ્યુના 250થી વધુ કેસ નોંધાયા હતા. રોજના આઠથી વધુ કેસ નોંધાયા હતા. AMCના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન શહેરમાં ડેન્ગ્યુના 253 કેસ, મેલેરિયાના 84 કેસ, અને ઝેરી મેલેરિયાના 28 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, આ જ સમયગાળામાં ઝાડા-ઉલટીના 241 કેસ, ટાઇફોઇડના 223 કેસ અને કમળાના 199 કેસ પણ નોંધાયા હતા.

ચોમાસા અને શિયાળા એવી ડબલ ઋતુના કારણે લોકોમાં વાઇરલ ફીવરના કેસો વધુ જોવા મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એક જ દિવસમાં 1475 જેટલા તાવ શરદી ઉધરસ સહિતના કેસોના દર્દીઓ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવી રહી છે.

રોડ, પાણી, લાઈટ, ગટર સહિતની અલગ અલગ પ્રાથમિક સુવિધાની ફરિયાદો શહેરીજનો કરી શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લીમીટેડના CCRS પ્રોજેક્ટ અંતર્ગત વોટ્સએપ ફરિયાદ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. વ્હોટ્સએપ નંબર 7567855303 ટેક્નિકલ કારણોસર બંધ થયા બાદ હવે સુધારીને ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. આથી, હવે નાગરિકો ફરીથી રોડ, પાણી, ગટર, કચરો અને લાઈટ જેવી સુવિધાઓ અંગેની ફરીયાદો સરળતાથી નોંધાવી શકશે.

મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીમાં ક્લોરિનની તપાસ માટે 40969 પાણીના નમૂના એકત્ર કર્યા હતા, જેમાંથી પાંચ નમૂનાઓમાં ક્લોરિનનું પ્રમાણ શૂન્ય (નહિવત્) જોવા મળ્યું હતું. વધુમાં, બેક્ટેરિયલ દૂષણ માટે 5387 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંના 10 નમૂનાઓ ઉપયોગ માટે અયોગ્ય જણાયા હતા.

આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ચોમાસા પછી રોગોમાં સામાન્ય રીતે વધારો થાય છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદની સમાપ્તિ સાથે મિડ નવેમ્બર સુધીમાં ચેપના કેસોમાં વધારો થવાની સંભાવના છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...