Wednesday, November 19, 2025

અમદાવાદમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના દરરોજ નોંધાયા આટલા કેસ, AMCનો વોટ્સએપ ફરિયાદ નંબર ફરી શરૂ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. અમદાવાદ શહેરમાં ચોમાસા અને શિયાળાની ડબલ ઋતુના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓક્ટોબર મહિનામાં શહેરમાં ડેન્ગ્યુના 253 કેસ અને પાણીજન્ય રોગોમાં કમળાના 199 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, ઝાડા-ઉલ્ટીના 241 અને ટાઇફોઇડના 223 કેસ નોંધાયા હતા, જોકે કોલેરાનો એક પણ કેસ નોંધાયો ન હોવાથી તંત્રને રાહત થઈ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, ઓક્ટોબર મહિનામાં શહેરમાં ડેન્ગ્યુના 250થી વધુ કેસ નોંધાયા હતા. રોજના આઠથી વધુ કેસ નોંધાયા હતા. AMCના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન શહેરમાં ડેન્ગ્યુના 253 કેસ, મેલેરિયાના 84 કેસ, અને ઝેરી મેલેરિયાના 28 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, આ જ સમયગાળામાં ઝાડા-ઉલટીના 241 કેસ, ટાઇફોઇડના 223 કેસ અને કમળાના 199 કેસ પણ નોંધાયા હતા.

ચોમાસા અને શિયાળા એવી ડબલ ઋતુના કારણે લોકોમાં વાઇરલ ફીવરના કેસો વધુ જોવા મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એક જ દિવસમાં 1475 જેટલા તાવ શરદી ઉધરસ સહિતના કેસોના દર્દીઓ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવી રહી છે.

રોડ, પાણી, લાઈટ, ગટર સહિતની અલગ અલગ પ્રાથમિક સુવિધાની ફરિયાદો શહેરીજનો કરી શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લીમીટેડના CCRS પ્રોજેક્ટ અંતર્ગત વોટ્સએપ ફરિયાદ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. વ્હોટ્સએપ નંબર 7567855303 ટેક્નિકલ કારણોસર બંધ થયા બાદ હવે સુધારીને ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. આથી, હવે નાગરિકો ફરીથી રોડ, પાણી, ગટર, કચરો અને લાઈટ જેવી સુવિધાઓ અંગેની ફરીયાદો સરળતાથી નોંધાવી શકશે.

મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીમાં ક્લોરિનની તપાસ માટે 40969 પાણીના નમૂના એકત્ર કર્યા હતા, જેમાંથી પાંચ નમૂનાઓમાં ક્લોરિનનું પ્રમાણ શૂન્ય (નહિવત્) જોવા મળ્યું હતું. વધુમાં, બેક્ટેરિયલ દૂષણ માટે 5387 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંના 10 નમૂનાઓ ઉપયોગ માટે અયોગ્ય જણાયા હતા.

આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ચોમાસા પછી રોગોમાં સામાન્ય રીતે વધારો થાય છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદની સમાપ્તિ સાથે મિડ નવેમ્બર સુધીમાં ચેપના કેસોમાં વધારો થવાની સંભાવના છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...