Saturday, November 8, 2025

ન્યૂ મણીનગરમાં પાલતુ શ્વાને બાળક પર હુમલો કરતાં ઇજાગ્રસ્ત, માલિક સામે ગુનો નોંધાયો, જુઓ વાયરલ CCTV

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ન્યુ મણીનગર વિસ્તારમાં દૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સમાં જર્મન શેફર્ડે બે બાળક પર હુમલો કર્યો હતો. મહિલા કુતરાને લઈને પાર્કિંગમાંથી જઇ રહી હતી ત્યારે બાળક કૂતરાને જોઈને ભાગ્યા હતાં. બાળકોને ભાગતા જોઈને કુતરાએ બાળકની પાછળ દોટ મુકી હતી. એક બાળક નીચે પડી જતાં કૂતરાએ દાંત બેસાડી દીધા હતા. ઈજાગ્રસ્ત બંને બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ન્યૂ મણિનગર વિસ્તારમાં કર્ણાવતી રિવેરા ફ્લેટની પાસે આવેલા શરણમ એલિગન્સ નામના ફ્લેટમાં 45 વર્ષે વ્યક્તિ રહે છે અને પોતે ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. તેમનો છ વર્ષનો પુત્ર છે. 5 નવેમ્બરના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ જ્યારે તેમનો પુત્ર ફ્લેટની નીચે પાર્કિંગમાં રમતો હતો ત્યારે ફ્લેટમાં રહેતાં મહિલા તેમનો પાલતું કૂતરો જર્મન શેફર્ડને લઈને નીચે ફરતાં હતાં. દરમિયાન છ વર્ષીય બાળક જ્યારે પાર્કિંગમાંથી પસાર થતું તો ત્યારે જર્મન શેફર્ડ કૂતરાએ અચાનક જ તેના ઉપર હુમલો કરી દીધો હતો, જેથી બાળક ગભરાઈ ગયું હતું અને દોડવા જતાં તેને સામાન્ય બચકું ભરી લીધું હતું. કૂતરાના હુમલાથી બાળકને દાંત બેસી ગયા હતા.

આ બાળકે શ્વાન કરડ્યા બાદ ઘરે જઈને પરિવારને આખી વાતની જાણ કરી હતી. આ દરમિયાન તેના પિતાને અન્ય બાળકને પણ આ શ્વાન કરડ્યાની માહિતી મળી હતી. જેથી આ લોકો બંને બાળકોને લઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

બાળકને કરડી જવાની ગંભીર ઘટના બાદ બાળકના વાલીઓએ શ્વાનના માલિક વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રામોલ પોલીસે ફરિયાદના આધારે શ્વાનના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...