Saturday, November 8, 2025

અમદાવાદ પૂર્વમાં ટ્રાફિકજામ ઘટાડવા આ રોડ પહોળો કરાશે, 41 મિલ્કતો કપાતમાં જશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પૂર્વમાં મણિનગર, કાંકરિયા, દાણી લીમડા અને રાયપુર દરવાજા આ તમામ પૂર્વીય અમદાવાદના ખૂબ જ વ્યસ્ત માનવામાં આવતા વિસ્તારો છે, અહીં રોજ ટ્રાફિકની સમસ્યા રહે છે. અમદાવાદ મ્યુ કોર્પોરેશનના ખાડિયા વોર્ડમાં આવેલા રાયપુર દરવાજાથી કાંકરિયા લેકફ્રન્ટ સુધીના રસ્તાને પહોળો કરશે જેથી આ વ્યસ્ત વિસ્તારમાં ભારે ટ્રાફિક સમસ્યાને હળવી કરી શકાય. રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાન હેઠળ આ રસ્તો હાલના 15 મીટરથી વધારી 25 મીટર પહોળો કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ પહોળો કરવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં રાયપુર દરવાજાથી કાંકરિયા લેકફ્રન્ટ સુધીના રસ્તાને પહોળો કરાશે. જેથી આ વ્યસ્ત વિસ્તારમાં ભારે ટ્રાફિક સમસ્યાને હળવી કરી શકાય.જેમાં રોડ પર આવતા 7 રેસીડેન્શિયલ અને 31 કોમર્શિયલ તથા એક ધાર્મિક સ્થળની દેરી, એક ટોઈલેટ સહિત કુલ 41 મિલ્કત કપાતમાં જશે. આ રોડ કપાત માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે.શહેરના રાયપુર દરવાજાથી કાંકરિયા તળાવ સુધીના રોડ પર 10 એકર મોલથી વોરાના રોજા સુધીના બોટલનેક 15.25 મીટરના વન- વે રોડને 24.38 મીટર પહોળો કરવામાં આવશે.

આ રોડ પૈકી 10 એકર મોલથી વોરાના રોજા સુધીના 15-25 મી રોડ વન-વે છે. આ રોડને પહોળો કરવા હેતુસર રોડલાઈન પ્રિસ્ક્રાઈબ કરવા માટે બે અગ્રણી વર્તમાનપત્રમાં જાહેરખબર આપીને 30 દિવસમાં વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી મધ્ય ઝોનના એસ્ટેટ ડ્રોઇંગ બાન્ય તેમજ એસ્ટેટ- ટીડીઓ વિભાગને એકપણ વાંધા અરજી કરવામાં આવી નથી.

આ રસ્તો શહેરના પૂર્વ ભાગના મહત્વના માર્ગોમાંનો એક છે. અહીં પિક અવર્સમાં વાહનોની લાંબી કતારો હોય છે. સારંગપુર બ્રિજ સમારકામ માટે બંધ હોવાથી સમસ્યા વધી છે, જેના કારણે રહેવાસીઓને શહેરના પશ્ચિમ ભાગો તરફ જવા માટે ખોખરા બ્રિજનો ઉપયોગ કરવો પડે છે.

તાજેતરમાં જ અહીં ફિલ્મફેર યોજાયો હતો. આ સાથે કાંકરિયા ખાતે પર્યટકો આવતા રહે છે અને અલગ અલગ ઉજવણીઓ પણ થતી રહે છે, તે સમયે અહીં ટ્રાફિકનો ધસારો ખૂબ જ રહે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...