Thursday, March 5, 2026

અમદાવાદ સહિતના શહેરોમાં 20 નવેમ્બરથી ‘ભારત ટેક્સી’ શરૂ થશે : કમિશન નહીં આપવું પડે

spot_img
Share

અમદાવાદ : ખાનગી કેબ એગ્રીગેટર કંપનીઓની ઊંચા કમિશનની નીતિ અને ગ્રાહકો પાસેથી લેવાતા મનસ્વી ભાડા સામે હવે કેન્દ્ર સરકારના સહકાર વિભાગ હેઠળ એક નવી ક્રાંતિકારી સેવાની શરૂઆત થવા જઈ રહ્યો છે. દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ‘ભારત ટેક્સી’ 20 નવેમ્બરમાં ટ્રાયલ બેઝ શરૂ થવા જઈ રહ્યો છે. ડિસેમ્બરથી તે કાયમી રીતે કામકાજ શરૂ કરશે. જેનું કમિશન-મુક્ત મોડેલ ડ્રાઇવર્સ અને મુસાફરો બંને માટે ફાયદાકારક સાબિત થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકારના સહકાર વિભાગ દ્વારા ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટથી ભારત ટેક્સી સેવાનું 20મી નવેમ્બરે સોફ્ટ લોન્ચિંગ થશે. જો તમારી પાસે ટેક્સી કે ઓટો છે કોમર્શિયલ લાયસન્સવાળી, ડ્રાઈવિંગ લાયસન્સ, ઈન્સ્યોરન્સ છે, ડ્રાઈવર વેરિફાઈડ છે તો તમે આ ટેક્સી સેવા માટે મેમ્બર બની શકશો. ભારત ટેક્સી સેવા છે એ ભારત સરકારની કો-ઓપરેટિવ મિનિસ્ટ્રી વિભાગની હેઠળ આવે છે એટલે તે પ્રોફિટ માટે તો કામ નહીં કરે, જે રીતે પ્રાઈવેટ ઓર્ગેનાઈઝેશન કરે છે કમિશન લે છે. આ ટેક્સી સેવા એ પ્રકારની નથી. આ ટેક્સી સેવામાં ડ્રાઈવર જ માલિક છે.

‘ભારત ટેક્સી’ રાષ્ટ્રીય સહકારી રાઈડ-હેલિંગ પ્લેટફોર્મ છે, જેનો વિકાસ કેન્દ્રીય સહકાર મંત્રાલય અને રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્લેટફોર્મની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ડ્રાઇવર્સ સહ-માલિકો બનશે. હાલમાં ખાનગી કેબ સેવાઓમાં ડ્રાઇવર્સને પોતાની કમાણીના 25 ટકા જેટલો મોટો હિસ્સો કમિશન તરીકે કંપનીઓને ચુકવી દેવો પડે છે. જેની સામે ‘ભારત ટેક્સી’ માં ‘નો કમિશન મોડેલ’ પર આધારિત છે. ડ્રાઇવર્સને એક નક્કી કરેલી ફી સિવાય વધારાનું એક પણ રૂપિયો કમિશન ચુકવવું પડશે નહી. જેના કારણે દરેક ગ્રાહકની સંપૂર્ણ કમાણી ડ્રાઇવર્સના ખિસ્સામાં જશે. ડ્રાઇવર્સને સન્માન સાથે ‘સારથી’ નામ આપવામાં આવશે જે તેમના પદને ગૌરવ અપાવશે.

હાલમાં અનેક ખાનગી કંપનીઓ ટેક્સી સેવાઓ પ્રદાન કરે છે, પરંતુ સલામતીની ચિંતાઓ ઘણીવાર ઉઠાવવામાં આવી છે, તેથી કેન્દ્ર સરકાર પોતાની નિયંત્રિત ટેક્સી સેવા શરૂ કરી રહી છે.ભારત ટેક્સી એ સહકાર મંત્રાલય અને રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલી સરકારની માલિકીની કેબ સેવા છે. ડ્રાઈવરો પાસે માલિકી હક્કો પણ હશે. આ સેવા સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ હેતુ માટે સહકારી લિમિટેડ સાથે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

સહકાર ટેક્સી આ સેવાનું સંચાલન કરશે, જ્યારે તેના શાસન માટે એક કાઉન્સિલની રચના કરવામાં આવી છે. જેમાં અમૂલના MD જયેન મહેતાને કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. વિવિધ સહકારી સમિતિઓના અન્ય 8 સભ્યો પણ આ કરારમાં સામેલ છે.એપ અને ભાષા
ભારત ટેક્સીની એપ ઓલા-ઉબેર જેવી જ હશે. તે ટૂંક સમયમાં જ એપ સ્ટોર્સ પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થશે. આ એપ હિન્દી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ થશે.

દરેક રાઈડમાંથી થતી કમાણીનો 100 એ 100 ટકા ભાગ ડ્રાઈવરોને જ મળશે. તેમની પાસેથી નજીવી દૈનિક, સાપ્તાહિક અથવા માસિક ફી લેવામાં આવશે. પહેલા તબક્કામાં 100 મહિલા ડ્રાઈવરો જોડાશે. 2030 સુધીમાં તે વધારીને 15 હજાર કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...