Saturday, December 6, 2025

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ, ગંભીર ક્ષતિ હશે તો 3 મહિના બંધ રહી શકે, જાણો વૈકલ્પિક રૂટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ બંધ કરાયો છે. એકાએક બ્રિજ બંધ કરવામાં આવતા સમીસાંજથી મોડી રાત સુધી વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. બ્રિજના ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરી માટે 4 ડિસેમ્બરથી પાંચ દિવસ માટે જાહેર જનતાની અવરજવર માટે બ્રિજ બંધ કરવાનો AMCએ નિર્ણય લીધો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા સુભાષ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. બ્રિજની બંને તરફ એક સ્પાનનો ભાગ નમી ગયો છે. બ્રિજનું પ્રાથમિક રીતે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે જેમાં ભાગ નમેલો હોવાને લઈને આ બ્રિજને રિપેરિંગ કરવાની જરૂરિયાત ઊભી થશે. રાજ્ય સરકારના રોડ અને બિલ્ડિંગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક ઇન્સ્પેક્શન કરીને આ બાબતે નિર્ણય લેવામાં આવશે. જો બ્રિજમાં ગંભીર ખામી સામે દેખાશે તો બ્રિજને બેથી ત્રણ જેટલા મહિના સુધી બંધ કરવો પડશે.

અમદાવાદનો આ બ્રિજ વર્ષો જૂનો છે. જેનું નિર્માણ 1973માં કરવામાં આવ્યું હતું, મુખ્ય વાત એ છે કે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો આ એક મહત્ત્વનો બ્રિજ છે. અમદાવાદ શહેરમાં બ્રિજ પ્રોજેકટ ખાતેથી પશ્ચિમ ઝોનમાં સાબરમતી નદી પર આવેલ સુભાષ બ્રિજના ડીટેઇલ ઇનસ્પેકશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. એક સ્પાનનો ભાગ બેસી ગયો હોવાનું હાલ જાણવા મળ્યું છે. તેવામાં તેનું સમારકામ કર્યા બાદ બ્રિજ ફરી શરૂ કરવામાં આવી શકે છે.

સેફટીના ભાગ રૂપે આ બ્રિજને આજથી પાંચ દિવસ સુધી જાહેર જનતાના અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ માટે વૈકલ્પિક રુટ તરીકે નદી પરના આવેલ દધીચી બ્રિજનો ઉપયોગ કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.જે પણ લોકો રોજ આ બ્રિજનો ઉપયોગ કરે છે, તેમને હવે ભારે હાલાકીનો સામનો કરવો પડશે. કારણકે બ્રિજ બંધ થવાને કારણે તેમને ફરી ફરી અન્ય બ્રિજ પરથી જવું પડશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં...

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...