Thursday, February 5, 2026

આણંદના ધારાસભ્યએ પોસ્ટમાં સુભાષચંદ્રને આતંકવાદી કહ્યા, પછી માફી માંગી કોંગ્રેસ-આપે કાર્યવાહીની માંગ કરી

spot_img
Share

ગુજરાતના ભાજપના ધારાસભ્યએ ફેસબુક પર નેતાજીને સુભાષચંદ્ર બોઝ વિશે આતંકવાદી લખીને માફી માંગતા કહ્યું કે, અનુવાદમાં ભૂલ હતી.ફેસબુક પોસ્ટ પર ભૂલથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝને આતંકવાદી લખી દીધા. પછી ધારાસભ્યએ તેમની પોસ્ટ ડિલીટ કરીને માફી માંગી હતી.

ગુજરાતના આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની ફેસબુક પોસ્ટ પર વિવાદ સર્જાયો છે. યોગેશ પટેલે પોતાની પોસ્ટમાં ભૂલથી નેતાજી સુભાષચંદ્ર બોઝને આતંકવાદી લખી દીધા હતા. આ પોસ્ટ વાયરલ થયા બાદ કોંગ્રેસના પ્રવક્તાએ નિવેદન સામે વાંધો ઉઠાવતા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. આ સાથે જ આમ આદમી પાર્ટીએ પણ યોગેશ પટેલની પોસ્ટ પર નિશાન સાધ્યું હતું.

આ પોસ્ટ વાયરલ થઈ
ગુજરાત ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા માટે જાણીતા છે. તેમણે અસહકાર આંદોલનમાં ભાગ લીધો હતો. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા હતા. તે આતંકવાદીઓના જૂથના વડા હતા. તેઓ સમાજવાદી ચળવળના સમર્થન માટે જાણીતા હતા. આ પ્રકારે લખાણ તેમની પોસ્ટમાં તેમણે લખ્યું હતું જે વાયરલ થઈ રહ્યું છે.

પછી માંગી માફી
ધારાસભ્યની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. બાદમાં ભૂલ ધ્યાને આવતાં પોતાના ફેસબુક પેજ પરથી તરત જ હટાવી દેવામાં આવી હતી. ધારાસભ્યએ અન્ય એક ફેસબુક પોસ્ટમાં પોસ્ટમાં આતંકવાદી શબ્દ લખવા બદલ માફી માંગી છે. તેમણે લખ્યું છે કે અનુવાદમાં ભૂલ થઈ છે. ધારાસભ્યએ પોસ્ટ ડિલીટ કરીને માફી માંગી હતી.

કોંગ્રેસે-આપે સવાલો ઉઠાવ્યા
કોંગ્રેસના નેતા પવન ખેડાએ ટ્વિટ કર્યું, ‘શું મીડિયા ચેનલો ગુજરાતના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની નેતાજી સુભાષ ચંદ્ર બોઝને આતંકવાદી ગણાવતી ટિપ્પણી પર ચર્ચા કરશે?’ AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પાસેથી માફી અને કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ કોંગ્રેસે આ મામલે ગંભીર વાંધો ઉઠાવીને સાયબર સેલમાં ફરિયાદ કરી છે.

પોસ્ટમાં આ ક્ષમા માંગી આ વાત કહી
ક્ષમા યાચના, સુભાષ ચંદ્ર બોઝ મારા માટે આદરણીય અને સન્માનીય નેતા છે અને દેશના હિત માટે મોટા કાર્યો કર્યા છે. તે હજુ પણ મારા હૃદયમાં વસે છે. તેમણે કરેલા કાર્યોથી હું ખુબ જ પ્રેરિત થયો છું, અને આગળ પણ તેમના માર્ગદર્શનથી જ વધ્યા છીએ. મારાથી અજાણતા દેશના આદરણીય નેતા માટે ભૂલથી અનુવાદન કરવામાં મારી ભૂલ થઇ ગઈ છે, તેના માટે ક્ષમા યાચના માંગુ છું. મારી ક્ષમા યાચનાને સ્વીકારશો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...