Tuesday, April 21, 2026

આણંદના ધારાસભ્યએ પોસ્ટમાં સુભાષચંદ્રને આતંકવાદી કહ્યા, પછી માફી માંગી કોંગ્રેસ-આપે કાર્યવાહીની માંગ કરી

spot_img
Share

ગુજરાતના ભાજપના ધારાસભ્યએ ફેસબુક પર નેતાજીને સુભાષચંદ્ર બોઝ વિશે આતંકવાદી લખીને માફી માંગતા કહ્યું કે, અનુવાદમાં ભૂલ હતી.ફેસબુક પોસ્ટ પર ભૂલથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝને આતંકવાદી લખી દીધા. પછી ધારાસભ્યએ તેમની પોસ્ટ ડિલીટ કરીને માફી માંગી હતી.

ગુજરાતના આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની ફેસબુક પોસ્ટ પર વિવાદ સર્જાયો છે. યોગેશ પટેલે પોતાની પોસ્ટમાં ભૂલથી નેતાજી સુભાષચંદ્ર બોઝને આતંકવાદી લખી દીધા હતા. આ પોસ્ટ વાયરલ થયા બાદ કોંગ્રેસના પ્રવક્તાએ નિવેદન સામે વાંધો ઉઠાવતા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. આ સાથે જ આમ આદમી પાર્ટીએ પણ યોગેશ પટેલની પોસ્ટ પર નિશાન સાધ્યું હતું.

આ પોસ્ટ વાયરલ થઈ
ગુજરાત ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા માટે જાણીતા છે. તેમણે અસહકાર આંદોલનમાં ભાગ લીધો હતો. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા હતા. તે આતંકવાદીઓના જૂથના વડા હતા. તેઓ સમાજવાદી ચળવળના સમર્થન માટે જાણીતા હતા. આ પ્રકારે લખાણ તેમની પોસ્ટમાં તેમણે લખ્યું હતું જે વાયરલ થઈ રહ્યું છે.

પછી માંગી માફી
ધારાસભ્યની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. બાદમાં ભૂલ ધ્યાને આવતાં પોતાના ફેસબુક પેજ પરથી તરત જ હટાવી દેવામાં આવી હતી. ધારાસભ્યએ અન્ય એક ફેસબુક પોસ્ટમાં પોસ્ટમાં આતંકવાદી શબ્દ લખવા બદલ માફી માંગી છે. તેમણે લખ્યું છે કે અનુવાદમાં ભૂલ થઈ છે. ધારાસભ્યએ પોસ્ટ ડિલીટ કરીને માફી માંગી હતી.

કોંગ્રેસે-આપે સવાલો ઉઠાવ્યા
કોંગ્રેસના નેતા પવન ખેડાએ ટ્વિટ કર્યું, ‘શું મીડિયા ચેનલો ગુજરાતના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની નેતાજી સુભાષ ચંદ્ર બોઝને આતંકવાદી ગણાવતી ટિપ્પણી પર ચર્ચા કરશે?’ AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પાસેથી માફી અને કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ કોંગ્રેસે આ મામલે ગંભીર વાંધો ઉઠાવીને સાયબર સેલમાં ફરિયાદ કરી છે.

પોસ્ટમાં આ ક્ષમા માંગી આ વાત કહી
ક્ષમા યાચના, સુભાષ ચંદ્ર બોઝ મારા માટે આદરણીય અને સન્માનીય નેતા છે અને દેશના હિત માટે મોટા કાર્યો કર્યા છે. તે હજુ પણ મારા હૃદયમાં વસે છે. તેમણે કરેલા કાર્યોથી હું ખુબ જ પ્રેરિત થયો છું, અને આગળ પણ તેમના માર્ગદર્શનથી જ વધ્યા છીએ. મારાથી અજાણતા દેશના આદરણીય નેતા માટે ભૂલથી અનુવાદન કરવામાં મારી ભૂલ થઇ ગઈ છે, તેના માટે ક્ષમા યાચના માંગુ છું. મારી ક્ષમા યાચનાને સ્વીકારશો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...