30.3 C
Gujarat
Tuesday, October 22, 2024

રજૂઆત: મહેસાણામાં નર્મદા યોજના આધારિત કેનાલમાં સિંચાઈ માટે 31મી માર્ચ સુધી પાણી ચાલુ રાખવાની માગ

Share

મહેસાણા29 મિનિટ પહેલા

બેચરાજીના ધારાસભ્ય ભરતજીએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી

મહેસાણામાં નર્મદા યોજના આધારિત કેનાલમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવતું પાણી 15 મી માર્ચથી બંધ કરવાની જાહેરાત સામે બેચરાજી વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે.જો કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે તો ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેવી શંકા વ્યક્ત કરી છે ખેડૂતોના હિતમાં આગામી 31મી માર્ચ સુધી કેનાલોમાં નર્મદા નું પાણી છોડવમાં આવે તેવી રજુઆત સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

નર્મદાની મુખ્ય કેનાલ માંથી પસાર થતી નાની મોટી માઇનોર સહિતની કેનાલ મારફત સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ કેનાલોની મરામત તેમજ સફાઈ કામગીરી હાથ ધરવાની થતી હોય 15મી માર્ચથી નર્મદા આધારિત સિંચાઈ માટે મળતું પાણી બંધ કરવાની સંબંધિત વિભાગે જાહેરાત કરી છે જેના કરણે હજારો ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

આ મામલે મહેસાણા જિલ્લાની બેચરાજી વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય ભરતજી ઠાકોરે વાંધો ઉઠાવ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી જણાવ્યું છે કે જો આમ કરવામાં આવશે તો બહુચરાજી તેમજ ચાણસ્મા પંથકમાં પાણી વિના સેંકડો ખેડૂતો ના પાક નિષફળ જાય તેવી સંભાવના છે જેથી 31 માર્ચ સુધી કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles