Wednesday, March 11, 2026

અમદાવાદીઓને મળશે નવી સુવિધા, આ બે સ્થળે બનાવાશે ફૂટ ઓવરબ્રીજ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે રસ્તા પર પૂર ઝપાટે દોડતા વાહનોને કારણે રાહદારીઓને રસ્તો ઓળંગવામાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ જ બાબતને ધ્યાન પર રાખી શાહીબાગ ડફનાળાથી એરપોર્ટ જતા વી.આઇ.પી. રોડને ક્રોસ કરી કેન્ટોનમેન્ટ બોર્ડની પ્રીમાઇસીસમાં કેમ્પના હનુમાન મંદીરના ગેટ પાસે ફૂટ ઓવર બ્રીજ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં કેમ્પ હનુમાન મંદિરના ગેટ પાસે ફુટઓવર બ્રીજ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે

અમદાવાદ શહેરને વધુ સ્માર્ટ બનાવવા માટે શાહીબાગમાં બે ફ્રુટ ઓવરબ્રીજ બનાવવાના કામને મંજુરી આપવામાં આવી હતી. મ્યુનિ. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિ ચેરમેન મહાદેવભાઈ દેસાઈ અને ડેપ્યુટી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તાર પાસે કેમ્પના હનુમાનના ગેટ પાસે તેમજ રાજસ્થાન હિન્દી હાઈસ્કુલ પાસે ફ્રુટ ઓવર બ્રીજ બનાવવામાં આવશે. જેના કારણે રાહદારીઓને રસ્તો ઓળંગવામાં ઘણી સરળતા રહેશે.

આ બંને ફ્રુટઓવર બ્રીજની ઉંચાઈ 5.5 મીટર તેમજ પહોળાઈ 3.5 મીટર રહેશે. બંને ફ્રુટ ઓવરબ્રીજની બંને તરફ 20 પેસેન્જરની લીફટ ઈન્સ્ટોલ કરવામાં આવશે. શાહીબાગમાં તૈયાર થનાર આ બે ફ્રુટઓવર બ્રીજ માટે રૂા.3.94 કરોડનો ખર્ચ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...