Tuesday, September 16, 2025

અમદાવાદીઓને મળશે નવી સુવિધા, આ બે સ્થળે બનાવાશે ફૂટ ઓવરબ્રીજ

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે રસ્તા પર પૂર ઝપાટે દોડતા વાહનોને કારણે રાહદારીઓને રસ્તો ઓળંગવામાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ જ બાબતને ધ્યાન પર રાખી શાહીબાગ ડફનાળાથી એરપોર્ટ જતા વી.આઇ.પી. રોડને ક્રોસ કરી કેન્ટોનમેન્ટ બોર્ડની પ્રીમાઇસીસમાં કેમ્પના હનુમાન મંદીરના ગેટ પાસે ફૂટ ઓવર બ્રીજ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં કેમ્પ હનુમાન મંદિરના ગેટ પાસે ફુટઓવર બ્રીજ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે

અમદાવાદ શહેરને વધુ સ્માર્ટ બનાવવા માટે શાહીબાગમાં બે ફ્રુટ ઓવરબ્રીજ બનાવવાના કામને મંજુરી આપવામાં આવી હતી. મ્યુનિ. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિ ચેરમેન મહાદેવભાઈ દેસાઈ અને ડેપ્યુટી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તાર પાસે કેમ્પના હનુમાનના ગેટ પાસે તેમજ રાજસ્થાન હિન્દી હાઈસ્કુલ પાસે ફ્રુટ ઓવર બ્રીજ બનાવવામાં આવશે. જેના કારણે રાહદારીઓને રસ્તો ઓળંગવામાં ઘણી સરળતા રહેશે.

આ બંને ફ્રુટઓવર બ્રીજની ઉંચાઈ 5.5 મીટર તેમજ પહોળાઈ 3.5 મીટર રહેશે. બંને ફ્રુટ ઓવરબ્રીજની બંને તરફ 20 પેસેન્જરની લીફટ ઈન્સ્ટોલ કરવામાં આવશે. શાહીબાગમાં તૈયાર થનાર આ બે ફ્રુટઓવર બ્રીજ માટે રૂા.3.94 કરોડનો ખર્ચ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...