Sunday, March 15, 2026

AMCના આરોગ્ય વિભાગની કાર્યવાહી, ફેમસ KFC રેસ્ટોરન્ટને આ કારણથી સીલ કરાઈ, જાણો ?

spot_img
Share

અમદાવાદ: AMCના હેલ્થ વિભાગ દ્વારા સૌથી ફેમસ KFC રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે. KFCમાં અપાતા પાણીમાં કોલીફોર્મ તથા ફિકલ ઈકોલાઇ બેક્ટેરીયાનું પ્રમાણ વધારે માત્રામાં આવતા પાણીનું સેમ્પલ અનફિટ આવેલ છે. જે અંતર્ગત AMC ઉત્તર પશ્ચિમ ઝોન આરોગ્ય વિભાગ દ્વારા KFC રેસ્ટોરન્ટ સીલ કરી દેવામાં આવી છે. આ ફરિયાદ AMC CCRS એપના માધ્યમથી મળી હતી અને AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

એક જાગૃત નાગરિક દ્વારા વસ્ત્રાપુર વિસ્તારમાં આલ્ફા વન મોલમાં આવેલી KFC રેસ્ટોરાંમાં ખરાબ જમવાનું અને પાણી મળતું હોવાની ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓનલાઈન CCRS સિસ્ટમ કરવામાં આવી હતી. તેના ભાગરૂપે 29 મેના રોજ ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ફૂડ અને પાણીનું સેમ્પલ લઇ અને સેન્ટ્રલ લેબોરેટરીમાં મોકલ્યું હતું. જેમાં પાણીમાં કોલીફોર્મ અને ફિકલ ઇકોલાઈ બેક્ટેરિયાનું પ્રમાણ વધારે આવ્યું હતું. જેથી સેમ્પલ અનફીટ આવતા આજે આ હોટલને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

AMCના આરોગ્ય વિભાગ દ્વારા અગાઉ પણ ફુડ સેફ્ટી અને આરોગ્ય મુદે સઘન તપાસ શહેરના અલગ અલગ ઝોનમાં ચાલી રહી છે. ઉનાળા સિઝન અને વરસાદી માહોલ વચ્ચે સઘન તપાસ હાથ ધરવામા આવી છે. પરંતુ જાગૃત નાગરિકો દ્વારા પણ આ પ્રકારની ફરિયાદ એેએમસી કરવામાં આવશે તો વધુ સઘન તપાસ AMC કરી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...