Sunday, April 19, 2026

22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થશે

spot_img
Share

અયોધ્યા : અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે અને 2024 સુધીમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે ત્યારે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામલલા બિરાજમાનની પૂજાને લઈને રામ મંદિર ટ્રસ્ટ દ્વારા PM મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જેના સંબંધમાં PMO તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. આ માહિતી રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. વાસ્તવમાં, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં કરવામાં આવશે. જેની તૈયારીઓ ચાલી રહી છે.

22 જાન્યુઆરી, 2024 એ એવી તારીખ છે કે જે દિવસે રામ મંદિરના દર્શન માટે કરોડો ભક્તોની રાહનો અંત આવશે. આ તે દિવસ હશે જ્યારે ભગવાન રામલલા ગર્ભગૃહમાં બિરાજશે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે દેશના તમામ પ્રદેશોના મંદિરોને શણગારવામાં આવશે, કેટલીક જગ્યાએ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ દેશના વિવિધ સ્થળોએ વર્ચ્યુઅલ રીતે બતાવવામાં આવશે. ભીડ વ્યવસ્થાપનને લઈને સંપૂર્ણ વિગતવાર યોજના પણ તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન વાસ્તુ પૂજાથી લઈને વિવિધ વિધિઓ અને પૂજાઓ પણ કરવામાં આવશે.

અત્યાર સુધીના નિર્માણ કાર્યની વાત કરીએ તો રામ મંદિરમાં રામલલાના ગર્ભગૃહના ઉપરના ભાગમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ઓક્ટોબર 2023 સુધીમાં રામ મંદિરનો પહેલો માળ તૈયાર થઈ જશે અને 24 જાન્યુઆરી 2024ના રોજ રામલલાનો અભિષેક થશે. આ કાર્યક્રમ લગભગ સાત દિવસ ચાલશે.જે બાદ રામ ભક્તો રામલલાના દર્શન કરવા મંદિરમાં આવી શકશે. હવે રામલલા વિરાજમાનની પૂજાને લઈને રામ મંદિર ટ્રસ્ટ તરફથી PM મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જે અંગે PM કાર્યાલય તરફથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી, જોકે તેનો જવાબ ગમે ત્યારે આવી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...