Tuesday, September 16, 2025

અમદાવાદમાં AMC તંત્રનો અભિનવ પ્રયોગ, આ ચાર રસ્તા ઉપર બોકસ માર્કીંગમાં વાહન ઉભુ રાખી નહીં શકાય

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં રોડ અકસ્માત તથા ટ્રાફિકની ગીચતાને નિયંત્રિત કરવા AMC દ્વારા અભિનવ પ્રયોગ કરી પાંજરાપોળ ચાર રસ્તા ઉપર બોકસ માર્કીંગ કર્યુ છે.બોકસ માર્કીંગ કરવાથી આ સ્પોટ ઉપર કોઈપણ વાહન ઉભુ રાખવા કે તેને પાર્ક કરી શકાશે નહીં.આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા 25 જેટલા ટ્રાફિક જંકશનને ડેવલપ કરાશે.ઉપરાંત તમામ જંકશન માટે યુનિફોર્મ સાઈનેઝ પોલીસી બનાવીને તેનો અમલ કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા તથા રોડ અકસ્માતને નિયંત્રિત કરવા મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા AMCના ટ્રાફિક વિભાગને કેટલાક ઉપયોગી સુચન કરવામા આવ્યા હતા.જેના ભાગરુપે શહેરમાં સૌ પ્રથમ વખત પાંજરાપોળ ચાર રસ્તા ઉપર પીળા કલરની માર્કીંગ કરી બોકસ માર્કીંગ કરવામાં આવ્યુ છે.બોકસ માર્કીંગ કરેલા એરિયામાં વાહન ચાલક પોતાનુ વાહન ઉભુ રાખી શકશે નહીં કે થોડીવાર માટે પાર્ક પણ કરી શકશે નહીં.અર્થાત્ સિગ્નલ ગ્રીન બતાવતું હોય પણ એટલા સમયમાં વાહન પસાર થઈ શકે તેમ ન હોય તો તે આ રીતે દર્શાવેલા એરિયામાં પ્રવેશી શકશે નહીં.

આવનારા સમયમાં ટ્રાફિકની ગીચતા ધરાવતા 25 જેટલા ટ્રાફિક જંકશનને AMC તંત્ર દ્વારા ડેવલપ કરાશે.ડેવલપ કરવામા આવનારા તમામ ટ્રાફિક જંકશન ઉપર શહેરીજનોની અવેરનેસ માટે મુકવામા આવતા વિવિધ પ્રકારના સાઈનેઝ પણ દરેક જંકશન ઉપર એકસરખા જ રાખવામા આવશે.આ માટે ટૂંક સમયમાં AMC તરફથી એક યુનિફોર્મ પોલીસી બનાવી તબકકાવાર તેનુ અમલીકરણ કરવામા આવશે.

આ 25 જંકશન પર પણ બોક્સ માર્કિંગ થશે

આરટીઓ સર્કલ ગોલ્ડન કતાર સામે એનએફડી
ઉસ્માનપુરા મેમ્કો પ્રહલાદનગર
નહેરુનગર રામેશ્વર મકરબા
પાલડી ચારરસ્તા શાહેઆલમ મેરી ગોલ્ડ 3 રસ્તા
ઘેવર સર્કલ દાણીલીમડા અનુપમ
રક્ષા શક્તિ સર્કલ આવકાર હોલ નિકોલ
નમસ્તે સર્કલ હીરાભાઈ ટાવર ખોડિયાર મંદિર
એરપોર્ટ સર્કલ એરપોર્ટ સર્કલ વિરાટનગર

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...