Sunday, November 9, 2025

અમદાવાદમાં AMC તંત્રનો અભિનવ પ્રયોગ, આ ચાર રસ્તા ઉપર બોકસ માર્કીંગમાં વાહન ઉભુ રાખી નહીં શકાય

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રોડ અકસ્માત તથા ટ્રાફિકની ગીચતાને નિયંત્રિત કરવા AMC દ્વારા અભિનવ પ્રયોગ કરી પાંજરાપોળ ચાર રસ્તા ઉપર બોકસ માર્કીંગ કર્યુ છે.બોકસ માર્કીંગ કરવાથી આ સ્પોટ ઉપર કોઈપણ વાહન ઉભુ રાખવા કે તેને પાર્ક કરી શકાશે નહીં.આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા 25 જેટલા ટ્રાફિક જંકશનને ડેવલપ કરાશે.ઉપરાંત તમામ જંકશન માટે યુનિફોર્મ સાઈનેઝ પોલીસી બનાવીને તેનો અમલ કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા તથા રોડ અકસ્માતને નિયંત્રિત કરવા મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા AMCના ટ્રાફિક વિભાગને કેટલાક ઉપયોગી સુચન કરવામા આવ્યા હતા.જેના ભાગરુપે શહેરમાં સૌ પ્રથમ વખત પાંજરાપોળ ચાર રસ્તા ઉપર પીળા કલરની માર્કીંગ કરી બોકસ માર્કીંગ કરવામાં આવ્યુ છે.બોકસ માર્કીંગ કરેલા એરિયામાં વાહન ચાલક પોતાનુ વાહન ઉભુ રાખી શકશે નહીં કે થોડીવાર માટે પાર્ક પણ કરી શકશે નહીં.અર્થાત્ સિગ્નલ ગ્રીન બતાવતું હોય પણ એટલા સમયમાં વાહન પસાર થઈ શકે તેમ ન હોય તો તે આ રીતે દર્શાવેલા એરિયામાં પ્રવેશી શકશે નહીં.

આવનારા સમયમાં ટ્રાફિકની ગીચતા ધરાવતા 25 જેટલા ટ્રાફિક જંકશનને AMC તંત્ર દ્વારા ડેવલપ કરાશે.ડેવલપ કરવામા આવનારા તમામ ટ્રાફિક જંકશન ઉપર શહેરીજનોની અવેરનેસ માટે મુકવામા આવતા વિવિધ પ્રકારના સાઈનેઝ પણ દરેક જંકશન ઉપર એકસરખા જ રાખવામા આવશે.આ માટે ટૂંક સમયમાં AMC તરફથી એક યુનિફોર્મ પોલીસી બનાવી તબકકાવાર તેનુ અમલીકરણ કરવામા આવશે.

આ 25 જંકશન પર પણ બોક્સ માર્કિંગ થશે

આરટીઓ સર્કલ ગોલ્ડન કતાર સામે એનએફડી
ઉસ્માનપુરા મેમ્કો પ્રહલાદનગર
નહેરુનગર રામેશ્વર મકરબા
પાલડી ચારરસ્તા શાહેઆલમ મેરી ગોલ્ડ 3 રસ્તા
ઘેવર સર્કલ દાણીલીમડા અનુપમ
રક્ષા શક્તિ સર્કલ આવકાર હોલ નિકોલ
નમસ્તે સર્કલ હીરાભાઈ ટાવર ખોડિયાર મંદિર
એરપોર્ટ સર્કલ એરપોર્ટ સર્કલ વિરાટનગર

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...