Friday, March 13, 2026

સ્ટેડીયમ વોર્ડનો એકમાત્ર ઓરમાયો રોડ, વર્ષોથી ઉબડખાબડ છે, રહીશો ત્રાહિમામ !!

spot_img
Share

અમદાવાદ : આપણા નવા વાડજ વિસ્તારનો વિકાસ બે વોર્ડમાં વહેંચાઈ કોઈક જગ્યાએ વૃદ્ધિ પામ્યો છે, તો અમુક જગ્યાએ રૂંધાયો છે.સમગ્ર નવા વાડજ વિસ્તારને બે અલગ અલગ સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ અને નવા વાડજ વોર્ડમાં વહેંચી દઈ તેના વિકાસની જવાબદારીઓ પણ વહેંચાઈ ગઈ છે ત્યારે સમગ્ર વિસ્તારના રોડ રસ્તા મોટા ભાગે સારી રીતે ડેવલપ કરવામાં આવ્યા હતા.જેમ કે સ્વિમિંગ પુલથી વ્યાસવાડી, હોય કે પછી ભીમજીપુરાથી જુનાવાડજ હોય કે ભીમજીપુરાથી કિરણપાર્ક હોય; રોડ રસ્તાનો વિકાસ અને કાઉન્સીલરની સેવાભાવના સ્પષ્ટ દેખાય છે.

પરંતુ આજે અમે તમને એવા રોડની વાત કરવા જઈ રહ્યા છીએ કે જયાં સિનિયર કાઉન્સીલર પોતે રહે છે, વર્ષોથી આ રોડ બન્યો નથી, જયારે ત્યારે માત્ર થીંગડા મારી ચલાવવામાં આવી રહ્યો છે. સ્ટેડીયમ વોર્ડમાં આવેલ રામાપીરના ટેકરાથી ઓઝોન આંગન ટાવર થઈને સ્વિમિંગ પૂલ પાસેના ફુવારા સુધીના રોડની હાલત જોવામાં આવે તો કોઈ ગામડાના રોડથી બદતર હાલતમાં હોય એ સ્થિતિમાં સરકારનો વિકાસ ઘૂંટણીએ પડેલો દેખાય છે. મ્યુ કોર્પોરેશનના જાગૃત કાઉન્સિલરની સેવા ભાવના તો એ છે કે પોતે એ રોડ પર રહેતા હોવા છતાં પણ એ રોડ બનાવ્યો નથી. પણ એમના આ ત્યાગમાં એમને જ વોટ આપનાર નાગરિકની હેરાનગતિનું શું ? આખા રોડ પર ઠેર ઠેર કોન્ટ્રાકટરને ઈચ્છા થઈ તેમ ડામરના થીંગડા પાથરી દેવામાં આવ્યા છે..જેના લીધે થોડા ભાગમાં રોડ ઊંચો વચ્ચેના ભાગમાં સપાટીથી નીચો અને ત્રીજા ભાગમાં પાછો એક લપેડો..એ ખાડા વાળો ઢાળ જ્યાં ઊંચાઈ વાળા રોડને મળે છે, એની ધારી પર ટાયર ફરવાથી અસંખ્ય લોકો અકસ્માતનો ભોગ બને છે..અને વરસાદ આવે ત્યારે ઢાળ જ્યાં પૂરો થાય ત્યાં રોડ પર રહેતા રહીશોના આંગણે ખાબાચીયું ભરાયેલ રહે છે અને એ વરસાદ બંધ થાય એટલે એમાં જીવાત થાય છે.

સ્થાનિકોની ફરિયાદ મુજબ કાઉન્સીલરને છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરવા જનાર નાગરિકને RCC રોડની લોલીપોપ આપવામાં આવે છે. અને સ્થાનિકોની ચર્ચાઓ મુજબ ફૂટપાથના બજેટ પાસ થયા અને કોર્પોરેશનના ચોપડે બની ગયેલ પણ બતાવવામાં આવ્યા પણ કેટલાય વર્ષોથી આ રોડ પર કોઈ ફૂટપાથ બની નથી.

આ રોડની અન્ય સમસ્યાઓની વાત કરીએ તો નજીકમાં જ રામકોલોની ચાર રસ્તા પછી બમ્પ મૂકવામાં આવ્યો છે કે તેના પર વર્ષોથી કલર કરી બમ્પ ઇન્ડિકેટ કરાયો નથી, અને તેને લીધે ઘણીવાર ઘરડા માણસોથી લઇ યુવાનો ઉછળી ઉછળીને પટકાય છે. આસપાસના રહીશો હવે આવા લોકોની સેવા કરવામાં તીર્થ યાત્રાનું પુણ્ય સમજી સેવામાં લાગી જાય છે..

સ્થાનિકો પૂછી રહ્યા છે કે જયારે શહેરમાં સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, ચારે તરફ રોડ અને ફુટપાથ સમયાંતરે નવા બની રહ્યાં ત્યારે કોઈ એક ચોક્કસ રોડ સાથે આવું ઓરમાયું વર્તન શા માટે? જ્યારે આ રોડ પર આવેલ ટાવરમાં અને સામસામે ફ્લેટમાં મોટી સંખ્યામાં રહીશો આ રોડનો ઉપયોગ કરે છે.રોડના ઘણા ખૂણે નકરી ગંદકી છે પણ ત્યાં કોર્પોરેશન એમ બહાનું બતાવે છે કે અહી ટ્રાવેલની બસો પડી હોય તો અમે કઈ રીતે સાફ સફાઈ કરીએ!!

તમને જણાવી દઈએ કે મ્યુ કોર્પોરેશનના આ પ્રકારના ઓરમાયા વર્તનને કારણે આ રોડનું નવું નામકરણ કરવામાં આવ્યું છે. આ રોડને ઓરમાયો રોડ તરીકે લોકો કહી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...