Wednesday, January 21, 2026

સ્ટેડીયમ વોર્ડનો એકમાત્ર ઓરમાયો રોડ, વર્ષોથી ઉબડખાબડ છે, રહીશો ત્રાહિમામ !!

spot_img
Share

અમદાવાદ : આપણા નવા વાડજ વિસ્તારનો વિકાસ બે વોર્ડમાં વહેંચાઈ કોઈક જગ્યાએ વૃદ્ધિ પામ્યો છે, તો અમુક જગ્યાએ રૂંધાયો છે.સમગ્ર નવા વાડજ વિસ્તારને બે અલગ અલગ સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ અને નવા વાડજ વોર્ડમાં વહેંચી દઈ તેના વિકાસની જવાબદારીઓ પણ વહેંચાઈ ગઈ છે ત્યારે સમગ્ર વિસ્તારના રોડ રસ્તા મોટા ભાગે સારી રીતે ડેવલપ કરવામાં આવ્યા હતા.જેમ કે સ્વિમિંગ પુલથી વ્યાસવાડી, હોય કે પછી ભીમજીપુરાથી જુનાવાડજ હોય કે ભીમજીપુરાથી કિરણપાર્ક હોય; રોડ રસ્તાનો વિકાસ અને કાઉન્સીલરની સેવાભાવના સ્પષ્ટ દેખાય છે.

પરંતુ આજે અમે તમને એવા રોડની વાત કરવા જઈ રહ્યા છીએ કે જયાં સિનિયર કાઉન્સીલર પોતે રહે છે, વર્ષોથી આ રોડ બન્યો નથી, જયારે ત્યારે માત્ર થીંગડા મારી ચલાવવામાં આવી રહ્યો છે. સ્ટેડીયમ વોર્ડમાં આવેલ રામાપીરના ટેકરાથી ઓઝોન આંગન ટાવર થઈને સ્વિમિંગ પૂલ પાસેના ફુવારા સુધીના રોડની હાલત જોવામાં આવે તો કોઈ ગામડાના રોડથી બદતર હાલતમાં હોય એ સ્થિતિમાં સરકારનો વિકાસ ઘૂંટણીએ પડેલો દેખાય છે. મ્યુ કોર્પોરેશનના જાગૃત કાઉન્સિલરની સેવા ભાવના તો એ છે કે પોતે એ રોડ પર રહેતા હોવા છતાં પણ એ રોડ બનાવ્યો નથી. પણ એમના આ ત્યાગમાં એમને જ વોટ આપનાર નાગરિકની હેરાનગતિનું શું ? આખા રોડ પર ઠેર ઠેર કોન્ટ્રાકટરને ઈચ્છા થઈ તેમ ડામરના થીંગડા પાથરી દેવામાં આવ્યા છે..જેના લીધે થોડા ભાગમાં રોડ ઊંચો વચ્ચેના ભાગમાં સપાટીથી નીચો અને ત્રીજા ભાગમાં પાછો એક લપેડો..એ ખાડા વાળો ઢાળ જ્યાં ઊંચાઈ વાળા રોડને મળે છે, એની ધારી પર ટાયર ફરવાથી અસંખ્ય લોકો અકસ્માતનો ભોગ બને છે..અને વરસાદ આવે ત્યારે ઢાળ જ્યાં પૂરો થાય ત્યાં રોડ પર રહેતા રહીશોના આંગણે ખાબાચીયું ભરાયેલ રહે છે અને એ વરસાદ બંધ થાય એટલે એમાં જીવાત થાય છે.

સ્થાનિકોની ફરિયાદ મુજબ કાઉન્સીલરને છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરવા જનાર નાગરિકને RCC રોડની લોલીપોપ આપવામાં આવે છે. અને સ્થાનિકોની ચર્ચાઓ મુજબ ફૂટપાથના બજેટ પાસ થયા અને કોર્પોરેશનના ચોપડે બની ગયેલ પણ બતાવવામાં આવ્યા પણ કેટલાય વર્ષોથી આ રોડ પર કોઈ ફૂટપાથ બની નથી.

આ રોડની અન્ય સમસ્યાઓની વાત કરીએ તો નજીકમાં જ રામકોલોની ચાર રસ્તા પછી બમ્પ મૂકવામાં આવ્યો છે કે તેના પર વર્ષોથી કલર કરી બમ્પ ઇન્ડિકેટ કરાયો નથી, અને તેને લીધે ઘણીવાર ઘરડા માણસોથી લઇ યુવાનો ઉછળી ઉછળીને પટકાય છે. આસપાસના રહીશો હવે આવા લોકોની સેવા કરવામાં તીર્થ યાત્રાનું પુણ્ય સમજી સેવામાં લાગી જાય છે..

સ્થાનિકો પૂછી રહ્યા છે કે જયારે શહેરમાં સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, ચારે તરફ રોડ અને ફુટપાથ સમયાંતરે નવા બની રહ્યાં ત્યારે કોઈ એક ચોક્કસ રોડ સાથે આવું ઓરમાયું વર્તન શા માટે? જ્યારે આ રોડ પર આવેલ ટાવરમાં અને સામસામે ફ્લેટમાં મોટી સંખ્યામાં રહીશો આ રોડનો ઉપયોગ કરે છે.રોડના ઘણા ખૂણે નકરી ગંદકી છે પણ ત્યાં કોર્પોરેશન એમ બહાનું બતાવે છે કે અહી ટ્રાવેલની બસો પડી હોય તો અમે કઈ રીતે સાફ સફાઈ કરીએ!!

તમને જણાવી દઈએ કે મ્યુ કોર્પોરેશનના આ પ્રકારના ઓરમાયા વર્તનને કારણે આ રોડનું નવું નામકરણ કરવામાં આવ્યું છે. આ રોડને ઓરમાયો રોડ તરીકે લોકો કહી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...