Tuesday, September 16, 2025

મ્યુ કોર્પોરેશનની કચરાની ગાડીમાં કાટમાળ ભરવાનું ગેરરીતિ કે કૌભાંડ…!!?

Share

Share

અમદાવાદ : અમદાવાદ મ્યુ કોર્પોરેશન અવારનવાર વિવાદમાં આવતું રહ્યું છે, ત્યારે તાજેતરમાં કચરા ભરવાની ગાડીમાં વજન વધારવા કાટમાળ ભરતા હોવાના બે વાયરલ વિડીયો બાદ અમદાવાદ મ્યુ કોર્પોરેશનનું સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સવાલોના ઘેરામાં આવી ગયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ મ્યુ કોર્પોરેશનની કચરાની ગાડીઓમાં વજન વધારવા કાટમાળ ભરતાં હોવાનાં વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હોય છે ત્યારે તાજેતરમાં નવા વાડજ અને સ્ટેડીયમ વોર્ડમાં બે અલગ અલગ વિસ્તારમાં બે અલગ અલગ વિડીયો વાયરલ થયા હતા.જે અંગે મિર્ચી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરતા સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સજાના ભાગ રૂપે રૂા.2000/- નો દંડ અને બે ફેરા રદ કર્યા હોવાનું વિગતો સામે આવી હતી.

હવે તમને જણાવી દઈએ કે આ અગાઉ થોડાક સમય પહેલા કચરાની ગાડીઓમાં વજન વધારવા કાટમાળ ભરતાં હોવાની ગેરરીતિમાં રૂા. 50/- હજાર રૂપિયા દંડ અને એક દિવસના ફેરા રદ કરી દેવામાં આવતા હતા.અમારા પ્રતિનિધીએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે નવા ટેન્ડરમાં દંડની રકમ રૂા.2000/- કરી દેવામાં આવી છે ત્યારે એક જ પ્રકારની ગેરરીતિમાં સજામાં આટલી ઢીલાસ આવી ગેરરીતિઓને વેગ આપશે. જેને કારણે કચરાની ગાડીમાં કાટમાળ ભરી કૌભાંડ કરવાની પ્રવુત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે, હવે મામૂલી રૂા. 2000/- રૂપિયાનો દંડ ભરાવવામાં આવે છે જે ક્યાંક તંત્રના મતલબી બનેલા જવાબદાર અધિકારીઓ દ્વારા આવા મળતિયા કોન્ટ્રાકટર લોકોને રાહત કરી આપી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યુંછે…કારણ…કે….શહેરમાં જ્યાં વાહનચાલકો દ્વારા નિયમોનું અનેક વખત ઉલ્લંઘન થવાથી તંત્ર દ્વારા દંડની રકમમાં ધરખમ વધારો કરી દેવાય છે ત્યારે આ બાજુ મ્યુ કોર્પોરેશન દંડની રકમમાં ઘટાડો કરતાં જવાબદાર અઘિકારીઓ શંકાના ઘેરામાં આવીને તેમના દ્વારા કચરાની ગાડીઓના કોન્ટ્રાકરોને છાવરવાનો મોટા ભ્રષ્ટાચાર થતો હોવાની ગંધ આવી રહી છે..જેના કારણે શહેરમાં કચરો ભરવાની ગાડીઓમાં કચરાની સાથે મકાનનો કાટમાળ ભરીને મોટા બિલો બનાવીને ક્યાંક જનતાના ટેક્ષનો રૂપિયો આ રીતે ભ્રષ્ટાચાર કરીને અથવા તો મિલીભગતમાં કારણે બરબાદ કરી રહ્યા હોવાની લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે…જે હકીકત છે…

હવે મુખ્ય પ્રશ્ન એ છે કે, વિડીયો વાઇરલ થયા બાદ તંત્રની અને મિલી ભગત વાળા જવાબદાર અધિકારીઓની આંખ ખુલશે કે કેમ…આ પ્રકારે ચાલતા કૌભાંડની તપાસ કરવામાં આવે તો જવાબદાર તંત્ર અને તંત્રના મિલીભગત વાળા અધિકારીઓનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા ચોક્કસપણે રહેલી છે..

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...