Friday, March 13, 2026

મ્યુ કોર્પોરેશનની કચરાની ગાડીમાં કાટમાળ ભરવાનું ગેરરીતિ કે કૌભાંડ…!!?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુ કોર્પોરેશન અવારનવાર વિવાદમાં આવતું રહ્યું છે, ત્યારે તાજેતરમાં કચરા ભરવાની ગાડીમાં વજન વધારવા કાટમાળ ભરતા હોવાના બે વાયરલ વિડીયો બાદ અમદાવાદ મ્યુ કોર્પોરેશનનું સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સવાલોના ઘેરામાં આવી ગયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ મ્યુ કોર્પોરેશનની કચરાની ગાડીઓમાં વજન વધારવા કાટમાળ ભરતાં હોવાનાં વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હોય છે ત્યારે તાજેતરમાં નવા વાડજ અને સ્ટેડીયમ વોર્ડમાં બે અલગ અલગ વિસ્તારમાં બે અલગ અલગ વિડીયો વાયરલ થયા હતા.જે અંગે મિર્ચી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરતા સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સજાના ભાગ રૂપે રૂા.2000/- નો દંડ અને બે ફેરા રદ કર્યા હોવાનું વિગતો સામે આવી હતી.

હવે તમને જણાવી દઈએ કે આ અગાઉ થોડાક સમય પહેલા કચરાની ગાડીઓમાં વજન વધારવા કાટમાળ ભરતાં હોવાની ગેરરીતિમાં રૂા. 50/- હજાર રૂપિયા દંડ અને એક દિવસના ફેરા રદ કરી દેવામાં આવતા હતા.અમારા પ્રતિનિધીએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે નવા ટેન્ડરમાં દંડની રકમ રૂા.2000/- કરી દેવામાં આવી છે ત્યારે એક જ પ્રકારની ગેરરીતિમાં સજામાં આટલી ઢીલાસ આવી ગેરરીતિઓને વેગ આપશે. જેને કારણે કચરાની ગાડીમાં કાટમાળ ભરી કૌભાંડ કરવાની પ્રવુત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે, હવે મામૂલી રૂા. 2000/- રૂપિયાનો દંડ ભરાવવામાં આવે છે જે ક્યાંક તંત્રના મતલબી બનેલા જવાબદાર અધિકારીઓ દ્વારા આવા મળતિયા કોન્ટ્રાકટર લોકોને રાહત કરી આપી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યુંછે…કારણ…કે….શહેરમાં જ્યાં વાહનચાલકો દ્વારા નિયમોનું અનેક વખત ઉલ્લંઘન થવાથી તંત્ર દ્વારા દંડની રકમમાં ધરખમ વધારો કરી દેવાય છે ત્યારે આ બાજુ મ્યુ કોર્પોરેશન દંડની રકમમાં ઘટાડો કરતાં જવાબદાર અઘિકારીઓ શંકાના ઘેરામાં આવીને તેમના દ્વારા કચરાની ગાડીઓના કોન્ટ્રાકરોને છાવરવાનો મોટા ભ્રષ્ટાચાર થતો હોવાની ગંધ આવી રહી છે..જેના કારણે શહેરમાં કચરો ભરવાની ગાડીઓમાં કચરાની સાથે મકાનનો કાટમાળ ભરીને મોટા બિલો બનાવીને ક્યાંક જનતાના ટેક્ષનો રૂપિયો આ રીતે ભ્રષ્ટાચાર કરીને અથવા તો મિલીભગતમાં કારણે બરબાદ કરી રહ્યા હોવાની લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે…જે હકીકત છે…

હવે મુખ્ય પ્રશ્ન એ છે કે, વિડીયો વાઇરલ થયા બાદ તંત્રની અને મિલી ભગત વાળા જવાબદાર અધિકારીઓની આંખ ખુલશે કે કેમ…આ પ્રકારે ચાલતા કૌભાંડની તપાસ કરવામાં આવે તો જવાબદાર તંત્ર અને તંત્રના મિલીભગત વાળા અધિકારીઓનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા ચોક્કસપણે રહેલી છે..

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...