Thursday, January 15, 2026

મ્યુ કોર્પોરેશનની કચરાની ગાડીમાં કાટમાળ ભરવાનું ગેરરીતિ કે કૌભાંડ…!!?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુ કોર્પોરેશન અવારનવાર વિવાદમાં આવતું રહ્યું છે, ત્યારે તાજેતરમાં કચરા ભરવાની ગાડીમાં વજન વધારવા કાટમાળ ભરતા હોવાના બે વાયરલ વિડીયો બાદ અમદાવાદ મ્યુ કોર્પોરેશનનું સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સવાલોના ઘેરામાં આવી ગયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ મ્યુ કોર્પોરેશનની કચરાની ગાડીઓમાં વજન વધારવા કાટમાળ ભરતાં હોવાનાં વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હોય છે ત્યારે તાજેતરમાં નવા વાડજ અને સ્ટેડીયમ વોર્ડમાં બે અલગ અલગ વિસ્તારમાં બે અલગ અલગ વિડીયો વાયરલ થયા હતા.જે અંગે મિર્ચી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરતા સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સજાના ભાગ રૂપે રૂા.2000/- નો દંડ અને બે ફેરા રદ કર્યા હોવાનું વિગતો સામે આવી હતી.

હવે તમને જણાવી દઈએ કે આ અગાઉ થોડાક સમય પહેલા કચરાની ગાડીઓમાં વજન વધારવા કાટમાળ ભરતાં હોવાની ગેરરીતિમાં રૂા. 50/- હજાર રૂપિયા દંડ અને એક દિવસના ફેરા રદ કરી દેવામાં આવતા હતા.અમારા પ્રતિનિધીએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે નવા ટેન્ડરમાં દંડની રકમ રૂા.2000/- કરી દેવામાં આવી છે ત્યારે એક જ પ્રકારની ગેરરીતિમાં સજામાં આટલી ઢીલાસ આવી ગેરરીતિઓને વેગ આપશે. જેને કારણે કચરાની ગાડીમાં કાટમાળ ભરી કૌભાંડ કરવાની પ્રવુત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે, હવે મામૂલી રૂા. 2000/- રૂપિયાનો દંડ ભરાવવામાં આવે છે જે ક્યાંક તંત્રના મતલબી બનેલા જવાબદાર અધિકારીઓ દ્વારા આવા મળતિયા કોન્ટ્રાકટર લોકોને રાહત કરી આપી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યુંછે…કારણ…કે….શહેરમાં જ્યાં વાહનચાલકો દ્વારા નિયમોનું અનેક વખત ઉલ્લંઘન થવાથી તંત્ર દ્વારા દંડની રકમમાં ધરખમ વધારો કરી દેવાય છે ત્યારે આ બાજુ મ્યુ કોર્પોરેશન દંડની રકમમાં ઘટાડો કરતાં જવાબદાર અઘિકારીઓ શંકાના ઘેરામાં આવીને તેમના દ્વારા કચરાની ગાડીઓના કોન્ટ્રાકરોને છાવરવાનો મોટા ભ્રષ્ટાચાર થતો હોવાની ગંધ આવી રહી છે..જેના કારણે શહેરમાં કચરો ભરવાની ગાડીઓમાં કચરાની સાથે મકાનનો કાટમાળ ભરીને મોટા બિલો બનાવીને ક્યાંક જનતાના ટેક્ષનો રૂપિયો આ રીતે ભ્રષ્ટાચાર કરીને અથવા તો મિલીભગતમાં કારણે બરબાદ કરી રહ્યા હોવાની લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે…જે હકીકત છે…

હવે મુખ્ય પ્રશ્ન એ છે કે, વિડીયો વાઇરલ થયા બાદ તંત્રની અને મિલી ભગત વાળા જવાબદાર અધિકારીઓની આંખ ખુલશે કે કેમ…આ પ્રકારે ચાલતા કૌભાંડની તપાસ કરવામાં આવે તો જવાબદાર તંત્ર અને તંત્રના મિલીભગત વાળા અધિકારીઓનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા ચોક્કસપણે રહેલી છે..

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...