Thursday, January 15, 2026

અમદાવાદની આ શાળાના વિધાર્થીઓએ બનાવી 30 હજારની 325 ફૂટ લાંબી રાખડી, G-20 અને ચંદ્રયાન 3ની થીમ

spot_img
Share

અમદાવાદ : આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સ્કૂલમાં ભણતા બાળકોએ આ પર્વની અનોખી રીતે ઉજવણી કરી છે. અમદાવાદની સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓએ G-20 અને ચંદ્રયાન-3ની થીમ પર 325 ફૂટ રાખડી બનાવી છે. સ્કૂલના વિદ્યાર્થીઓ છેલ્લા 2006થી જુદી જુદી થીમ પર રાખડીઓ બનાવી રહ્યા છે. આ વર્ષે તાજેતરમાં ચાલી રહેલા G-20 અને ચંદ્રયાન થીમ પર રાખડી બનાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ભુયંગદેવ વિસ્તારમાં આવેલી સાધના વિનય મંદિર સ્કૂલ દ્વારા 325 ફુટ લાંબી રાખડી તૈયાર કરવામાં આવી છે. હાલમાં જ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેંડીગ કરીને ભારતનું ચંદ્રયાન મિશન સફળ થયું અને આખી દુનિયામાં ભારતે ઈતિહાસ રચી દીધો. ઈસરોના વૈજ્ઞાનિકોની આ સફળતાને પણ આ રાખડીમાં કંડારવામાં આવી છે. સાથે સાથે હાલ આપણો દેશ G-20 દેશોની આગેવાની રહ્યો છે. ત્યારે G-20 વસુધૈવ કુટુંબ કમની થીમને પણ આ રાખડીમાં ઉજાગર કરવામાં આવી છે.

છેલ્લા બાર દિવસની મહેનત પછી 100 મીટર કાપડ, 300 નંગ ઝુમકા, 180 જેટલા સ્ટીકર, ટાંકણી અને સેલોટેપ આ સમગ્ર વસ્તુના આધારે આ રાખડી તૈયાર કરવામાં આવી છે. રાખડી તૈયાર કરવામાં શાળાના 35 વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકોની મહેનત છે. પાછલા 18 વર્ષથી અલગ અલગ થીમ પર લાંબી રાખડીઓ તૈયાર કરવામાં આવે છે. આ વખતે G-20 અને ચંદ્રયાન થીમ પર રાખડી તૈયાર કરીને ઉજવણી કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...