Friday, March 13, 2026

ઈસ્કોન બ્રિજ પર વધુ એક હિટ એન્ટ રનની ઘટના,બેફામ કારચાલકે બાઈકને મારી ટક્કર, એક રાહદારીનું મોત

spot_img
Share

અમદાવાદ: બેફામ વાહન ચાલકો અમદાવાદના ઈસ્કોન બ્રિજનું નામ જ જાણે લોહીથી લખી નાખશે. ઇસ્કોન બ્રિજ પર થોડા સમય પહેલા જ નબીરા તથ્ય પટેલે લક્ઝુરિયસ જેગુઆર કારથી નવ લોકોને કચડી માર્યા તે ઘટના હજી ભુલાઈ નથી ત્યાં ગઈકાલે ગુરૂવારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ઇસ્કોન બ્રિજ પર એક કારચાલકે રાહદારીને અડફેટે લેતા મોત નિપજ્યું છે. આ બનાવની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક કારચાલકે રાહદારીને અડફેટે લીધો હતો. પરિણામે વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. મૃતક યતેન્દ્રસિંહ ખાનગી કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતો હતો. જોકે, કારચાલકે રાહદારી બાદ એક બાઈકને પણ ટક્કર મારી હતી.આ વ્યક્તિ એટલો નિર્દયી કે તે અકસ્માત સર્જી ત્યાં ઊભો પણ રહ્યો ન્હોતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હોવાની વિગતો સામે આવી છે.

આ બનાવની જાણ થતાં ટ્રાફિક એસીપી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોચ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનારા વ્યક્તિનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જ્યારે ઇજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કાર ચાલક કોણ હતો? તથા કઈ દિશામાં ગયો તે મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે આ અગાઉ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા તથ્ય પટેલ અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા હતા. તે ઘટનાના પીડિતો હજુ પણ ન્યાયની ઝંખના કરી રહ્યા છે. ત્યાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...