Wednesday, March 11, 2026

અમદાવાદમાં મધ્યરાત્રિથી વરસાદી માહોલ, મોટાભાગના વિસ્તારો ભિંજાયા, વાહનોની અવર-જવરને અસર

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા વિરામ બાદ પરત ફર્યા છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદમાં રાતે શરૂ થયેલો વરસાદ ધીમી ધારે આખી રાત વરસ્યો હતો. જેના લીધે ઠેર ઠેર પાણી ભરાયાના દૃશ્યો જોવા મળ્યાં હતાં. સતત વરસી રહેલા વરસાદ અને ધુમ્મસ વચ્ચે વહેલી સવારે પણ વાહનોને અવર-જવરમાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યાં અમદાવાદમાં પણ મધ્યરાત્રિથી વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદમાં વટવા, ઈસનપુર, મણિનગર, સરખેજ, જુહાપુરા, એસ.જી.હાઈવે, વાસણા સહિતના મોટાભાગના વિસ્તારોમાં પાણી જ પાણી થઇ ગયું હતું. ચારેકોર વરસાદની સ્થિતિ જોવા મળી હતી. અમદાવાદમાં કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ ચોપડે નોંધાઈ છે.

અમદાવાદમાં સૌથી વધારે મધ્યઝોનમાં 1.05 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે. ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે.તો આ તરફ દક્ષિણ ઝોનમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જો વાત અમદાવાદના ઉત્તર અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો ત્યાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. તો પૂર્વ અમદાવાદમાં 0.6 ઈંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં વરસાદના પગલે વાસણા બેરેજના બે ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, જો કે વરસાદના કારણે એક બાજુ લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. લાંબા સમયથી વરસાદે વિરામ લેતા અને ઓગસ્ટ માસ સાવ કોરો ધાકોળ જતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો જો કે ફરી ચોમાસુ સક્રિય થતાં સૂકાઇ રહેલા ઉભા પાકને જીવતદાન મળી ગયું છે. જેથી ખેડૂત વર્ગમાં પણ ખુશીનો માહોલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...