Friday, January 16, 2026

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં મહિલા ડોક્ટરના મોતથી ખળભળાટ, મૃતક મહિલા અને PI વચ્ચે પ્રેમ સંબંધ…

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગાયકવાડ હવેલી ખાતે આવેલી ક્રાઇમ બ્રાન્ચ કચેરીની ઈકોનોમિક ઓફેન્સ વિંગ-EOWના ગેટ પાસે મહિલાનો મૃતદેહ મળી આવવાના મામલે એક બાદ એક મોટા ખુલાસાઓ થઇ રહ્યા છે. મૃતક યુવતી અને PI ખાચર વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હોવાનું ખુલ્યું છે. મૃતક મહિલા તબીબે ક્રાઈમબ્રાન્ચમાં આત્મહત્યા કરી હતી. સ્યુસાઈડ નોટમાં PI ખાચર તેના મૃતદેહને અગ્નિદાહ આપે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં ગાયકવાડ હવેલી ખાતે આવેલી ક્રાઈમબ્રાન્ચ ઈકોનોમિક ઓફેન્સ વિંગમાં ફરજ બજાવતા PI બી.કે. ખાચર અને મૃતક યુવતી વચ્ચે અંદાજે 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો.જોકે, થોડા સમયથી બંને વચ્ચે અણબનાવ હતો. ત્યારે ગઈકાલે મહિલાએ ઈન્જેક્શન વડે આપઘાત કરતા યુવતીના પરિવારમાં અને ક્રાઈમબ્રાન્ચમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક મહિલા ડોક્ટર વૈશાલી જોશી હોવાનું સામે આવ્યું છે.

વૈશાલી જોશીની ઉંમર 32 વર્ષ હતી અને તે ડોક્ટર હતી અને શિવરંજની પાસે PGમાં રહેતી હતી. આધારભુત સૂત્રો મુજબ છેલ્લા 3-4 દિવસથી મહિલા PI ને મળવા આવતી હતી, પરંતુ કોઈ ને કોઈ સંજોગવશાત મળી શકાતું ન હોવાના કારણે મહિલાએ આપઘાત કર્યું હોવાનું સામે આવ્યું છે. ડો.વૈશાલી મહીસાગર જિલ્લાના બાલાસિનોર પાસેના વિરપુર ગામની વતની હતી.અમદાવાદના શિવરંજની વિસ્તારમાં વેલી PG માં રહેતી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

આ મહિલાના મોત બાદ 15 પેજની સુસાઈડ નોટમાં પ્રેમસંબંધ હોવાના ખુલાસા થયા છે. જેમાં તેને PI બી.કે.ખાચર તેના અગ્નિદાહ આપે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.આ મુદ્દે પોલીસ અધિકારીઓએ મૌન સેવ્યું છે. પોલીસે સુસાઈડ નોટ કબજે કરી PI વિરુદ્ધ ગુનો નોંધવાની પણ તજવીજ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...