Friday, March 13, 2026

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં મહિલા ડોક્ટરના મોતથી ખળભળાટ, મૃતક મહિલા અને PI વચ્ચે પ્રેમ સંબંધ…

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગાયકવાડ હવેલી ખાતે આવેલી ક્રાઇમ બ્રાન્ચ કચેરીની ઈકોનોમિક ઓફેન્સ વિંગ-EOWના ગેટ પાસે મહિલાનો મૃતદેહ મળી આવવાના મામલે એક બાદ એક મોટા ખુલાસાઓ થઇ રહ્યા છે. મૃતક યુવતી અને PI ખાચર વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હોવાનું ખુલ્યું છે. મૃતક મહિલા તબીબે ક્રાઈમબ્રાન્ચમાં આત્મહત્યા કરી હતી. સ્યુસાઈડ નોટમાં PI ખાચર તેના મૃતદેહને અગ્નિદાહ આપે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં ગાયકવાડ હવેલી ખાતે આવેલી ક્રાઈમબ્રાન્ચ ઈકોનોમિક ઓફેન્સ વિંગમાં ફરજ બજાવતા PI બી.કે. ખાચર અને મૃતક યુવતી વચ્ચે અંદાજે 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો.જોકે, થોડા સમયથી બંને વચ્ચે અણબનાવ હતો. ત્યારે ગઈકાલે મહિલાએ ઈન્જેક્શન વડે આપઘાત કરતા યુવતીના પરિવારમાં અને ક્રાઈમબ્રાન્ચમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક મહિલા ડોક્ટર વૈશાલી જોશી હોવાનું સામે આવ્યું છે.

વૈશાલી જોશીની ઉંમર 32 વર્ષ હતી અને તે ડોક્ટર હતી અને શિવરંજની પાસે PGમાં રહેતી હતી. આધારભુત સૂત્રો મુજબ છેલ્લા 3-4 દિવસથી મહિલા PI ને મળવા આવતી હતી, પરંતુ કોઈ ને કોઈ સંજોગવશાત મળી શકાતું ન હોવાના કારણે મહિલાએ આપઘાત કર્યું હોવાનું સામે આવ્યું છે. ડો.વૈશાલી મહીસાગર જિલ્લાના બાલાસિનોર પાસેના વિરપુર ગામની વતની હતી.અમદાવાદના શિવરંજની વિસ્તારમાં વેલી PG માં રહેતી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

આ મહિલાના મોત બાદ 15 પેજની સુસાઈડ નોટમાં પ્રેમસંબંધ હોવાના ખુલાસા થયા છે. જેમાં તેને PI બી.કે.ખાચર તેના અગ્નિદાહ આપે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.આ મુદ્દે પોલીસ અધિકારીઓએ મૌન સેવ્યું છે. પોલીસે સુસાઈડ નોટ કબજે કરી PI વિરુદ્ધ ગુનો નોંધવાની પણ તજવીજ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...