Thursday, March 5, 2026

અમદાવાદનું આ પિઝા આઉટલેટ વિવાદમાં, પિઝામાંથી નીકળ્યું પ્લાસ્ટિક, કિચનમાં ગંદકી જ ગંદકી

spot_img
Share

અમદાવાદ : શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પિઝા આઉટલેટમાંથી ખાસ કરીને પિઝામાંથી જીવાત અથવા તો કોઈપણ ચીજવસ્તુ નીકળતી હોવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં શ્લોક રેસિડેન્સી રોડ ઉપર સરજુ અરેના કોમ્પ્લેક્સમાં આવેલા The Ocean Pizzaમાં પિઝા ખાવા માટે ગયેલા પરિવારને કડવો અનુભવ થયો હતો. પિઝામાંથી જીવાત નહીં પરંતુ પ્લાસ્ટિક નીકળ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના ચાંદખેડામાં રહેતો એક પરિવાર શ્લોક રેસિડેન્સી રોડ ઉપર સરજુ અરેના કોમ્પ્લેક્સમાં આવેલા The Ocean Pizzaમાં પિઝા ખાવા માટે ગયો હતો. જ્યાં તેઓએ ઓર્ડર કરેલા પિઝામાંથી જીવાત નહીં પરંતુ પ્લાસ્ટીક નીકળ્યું હતું. આ મામલે તેઓએ માલિકને વાત કરતા માલિકે પણ તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Amdavad Media (@amdavad.media)

જોકે, બાદમાં તેઓએ પોતાના મિત્રને ફોન કરીને સમગ્ર હકીકત જણાવતા તેમના મિત્ર સ્થળ પર પહોંચ્યા હતા. જે બાદ તેઓ The Ocean Pizzaના કિચનમાં જતાં તેઓની આંખો પહોંળી થઈ ગઈ હતી. કારણ કે કિચનમાં તો ઊલટી થઈ જાય તેવી ગંદકી હતી, સાથે જ કિચનમાં સડેલા બટાકા અને ફૂગ વળી ગયેલી બ્રેડ પડી હતી. જેનો તેઓએ વીડિયો પણ ઉતાર્યો હતો.

આપને જણાવી દઈએ કે, બ્રાન્ડેડ પિઝા હોય કે અન્ય પિઝા આઉટલેટ હોય તેમાં આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ આવી હોટલ રેસ્ટોરન્ટ કે આઉટલેટમાં ક્યારેય સરપ્રાઈઝ ચેકિંગ કરતી કે પછી કોઈ કડક કાર્યવાહી પણ કરતી નથી. જેથી આવા આઉટલેટના માલિકો બેફામ બની રહ્યા છે અને ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકી રહ્યા છે. ત્યારે હવે કોર્પોરેશન દ્વારા આ મામલે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું….

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...