Friday, March 13, 2026

જોખમી સવારી કેટલી યોગ્ય ! જો વાન-રીક્ષામાં વધુ બાળકો બેસાડેલ જોવા મળે તો અહીં કરો ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : રાજકોટમાં ગેમઝોનમાં બનેલી આગની ઘટનામાં મોટી સંખ્યામાં બાળકો મૃત્યુ પામ્યા છે, ત્યારે સ્કૂલે આવતા જતા બાળકોની સુરક્ષાને લઈને આવતા જતા બાળકોની સુરક્ષાને લઈને પણ પોલીસી અંતર્ગત સરકાર દ્વારા નવેસરથી પરિપત્ર કરીને તકેદારી રાખવા અને જરૂરી પગલાં લેવા માટે આદેશ કરાયો છે. જો વિદ્યાર્થીઓને સ્કૂલ બસ કે વનમાં ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા તો હવે તેવા સ્કૂલ અને સ્કૂલ બસ ચાલકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ તમામ સ્કૂલોના ડીઈઓ-ડીપીઓને 13મી જુનથી સ્કૂલો શરૂ થાય તે પહેલા શાળાઓમાં બાળકોની સલામતી અંગેની વ્યવસ્થાની ચકાસણી પૂર્ણ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યામિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં બાળકોના ટ્રાન્સપોર્ટેશનને લઈને સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. સ્કૂલ બસ દ્વારા કે અન્ય વાહનો દ્વારા આવતા બાળકોની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.

શાળામાં બાળકોના પરિવહન માર્ગ સલામતી બાબતે વાલીઓમાં જાગૃતિ માટે પ્રચાર-પ્રસાર કરવાનો રહેશે. વાલી મીટિંગના એજન્ડામાં પરિવહનમાં માર્ગ સલામતીની બાબત નિયમિત રીતે મૂકવાની રહેશે. રીક્ષાકે વાનમાં બાળકોને વધુ સંખ્યામાં ન બેસાડવામાં આવે તે જોવાની જવાબદારી સ્કૂલ સંચાલકોની રહેશે. રીક્ષા કે વાનમાં ક્ષમતા કરતા વધુ પ્રમાણમાં બાળકો બેસેલા હોય તો તેની જાણ સ્કૂલ સંચાલકે તથા વાલીએ તાકીદે RTO અને ટ્રાફિક પોલીસને કરવાની રહેશે.

આ તમામ સૂચનનોનો સ્કૂલોમાં અમલ થાય તેની ચકાસણી ડીઈઓ-ડીપીઓએ કરવાની રહેશે.મહત્ત્વનું છે કે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને સ્કૂલ નિયામક કચેરી દ્વારા પરિપત્રોતો કરી દેવાયા છે. સ્કૂલ વર્ધી માટેના મોટા ભાગના વાહનોમાં વાન હોય છે, અને આ વાનમાં ગેસ કીટ બેસાડેલી હોય છે. તેમજ આડેધડ બાળકોને વાનમાં બેસાડવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...