Thursday, January 22, 2026

જોખમી સવારી કેટલી યોગ્ય ! જો વાન-રીક્ષામાં વધુ બાળકો બેસાડેલ જોવા મળે તો અહીં કરો ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : રાજકોટમાં ગેમઝોનમાં બનેલી આગની ઘટનામાં મોટી સંખ્યામાં બાળકો મૃત્યુ પામ્યા છે, ત્યારે સ્કૂલે આવતા જતા બાળકોની સુરક્ષાને લઈને આવતા જતા બાળકોની સુરક્ષાને લઈને પણ પોલીસી અંતર્ગત સરકાર દ્વારા નવેસરથી પરિપત્ર કરીને તકેદારી રાખવા અને જરૂરી પગલાં લેવા માટે આદેશ કરાયો છે. જો વિદ્યાર્થીઓને સ્કૂલ બસ કે વનમાં ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા તો હવે તેવા સ્કૂલ અને સ્કૂલ બસ ચાલકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ તમામ સ્કૂલોના ડીઈઓ-ડીપીઓને 13મી જુનથી સ્કૂલો શરૂ થાય તે પહેલા શાળાઓમાં બાળકોની સલામતી અંગેની વ્યવસ્થાની ચકાસણી પૂર્ણ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યામિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં બાળકોના ટ્રાન્સપોર્ટેશનને લઈને સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. સ્કૂલ બસ દ્વારા કે અન્ય વાહનો દ્વારા આવતા બાળકોની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.

શાળામાં બાળકોના પરિવહન માર્ગ સલામતી બાબતે વાલીઓમાં જાગૃતિ માટે પ્રચાર-પ્રસાર કરવાનો રહેશે. વાલી મીટિંગના એજન્ડામાં પરિવહનમાં માર્ગ સલામતીની બાબત નિયમિત રીતે મૂકવાની રહેશે. રીક્ષાકે વાનમાં બાળકોને વધુ સંખ્યામાં ન બેસાડવામાં આવે તે જોવાની જવાબદારી સ્કૂલ સંચાલકોની રહેશે. રીક્ષા કે વાનમાં ક્ષમતા કરતા વધુ પ્રમાણમાં બાળકો બેસેલા હોય તો તેની જાણ સ્કૂલ સંચાલકે તથા વાલીએ તાકીદે RTO અને ટ્રાફિક પોલીસને કરવાની રહેશે.

આ તમામ સૂચનનોનો સ્કૂલોમાં અમલ થાય તેની ચકાસણી ડીઈઓ-ડીપીઓએ કરવાની રહેશે.મહત્ત્વનું છે કે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને સ્કૂલ નિયામક કચેરી દ્વારા પરિપત્રોતો કરી દેવાયા છે. સ્કૂલ વર્ધી માટેના મોટા ભાગના વાહનોમાં વાન હોય છે, અને આ વાનમાં ગેસ કીટ બેસાડેલી હોય છે. તેમજ આડેધડ બાળકોને વાનમાં બેસાડવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...