Friday, March 13, 2026

અમદાવાદમાં કારચાલક મૃત શ્વાનને દોરીથી બાંધી ઢસડીને લઈ ગયો, એક જાગૃત નાગરિકે એક વીડિયો શેર કર્યો

spot_img
Share

અમદાવાદ : માનવોમાંથી માનવતા ગાયબ થઈ રહી છે. ખાસ કરીને અબોલ જીવ સાથે તે ક્રુરતાભરી રમત રમે છે. અમદાવાદમાં હવે માણસો સંવેદનાવિહીન બની રહ્યા હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે. તેમાં પણ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા તો હદ વટાવી રહી છે. અમદાવાદનો એક આંખો વિસ્ફારિત કરી દેતો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં કારચાલક મૃત શ્વાનને ગાડીની પાછળ બાંધીને ઢસેડી લઈ જઈ રહ્યો છે.

આ વીડિયો જોઈને તમને અરેરાટી થઈ જશે.એક જાગૃત નાગરિકે આ વીડિયો પોતાના ટ્વિટર(X) એકાઉન્ટ પર શેર કર્યો છે. કારચાલક કાર હંકારતો જોઈ શકાય છે અને તેની પાછળ એક મૃત્યુ પામેલો શ્વાન દોરીથી બાંધેલો છે. કારચાલક આ મૃત શ્વાનને દોરીથી ઢસેડીને લઈ જઈ રહ્યો છે. આ દ્રશ્યો ભલભલાને હચમચાવી દે તેવા છે. દુખની વાત એ છે કે, આ વીડિયો ગુજરાતનો છે.

જાગૃત નાગરિકએ વીડિયો શેર કરીને લખ્યું છે કે, અમદાવાદમાં માણસાઈ ભૂલો ગયો શખ્સ, મૃત શ્વાનને આ રીતે ગાડીથી બાંધીને ઢસેડીને લઈ જવુ કેટલુ યોગ્ય છે? Shame.

ત્યારે જાગૃત નાગરિકના આ વીડિયોની નોંધ પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા પેટા ઈન્ડિયાએ પણ લીધી. પેટા ઈન્ડિયાયે ટ્વિટર પર જવાબમાં કહ્યું કે, કૃપા કરીન અમારા ઈમરજન્સી નંબર 98201 22602 પર ફોન કરીને અમને આ ઘટનાની વિસ્તૃત માહિતી આપો. અથવા તમારા સંપર્કની માહિતી આપો, જેથી અમે તમને સંપર્ક કરી શકીએ.

આ વીડિયો બહુ જ ડરામણો છે. કોઈ કેવી રીતે આવું કરી શકે. આ વીડિયોના ટ્વિટર પર પ્રતિસાદ મળ્યા છે. જેમાં લોકોએ કારચાલક સામે રોષ દાખવ્યો છે. એક યુઝરે લખ્યું કે, આને પણ આજ રીતે બાંધ્યો હોય તો પીડા નો અનુભવ આવે. તો અન્ય એક યુઝરે લખ્યું કે, મૃત કૂતરાને કાર સાથે બાંધીને જોવું ખૂબ જ દુઃખદ છે. આ ક્રૂર કૃત્ય માટે જવાબદાર ગુનેગાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...