Sunday, March 15, 2026

અમદાવાદ સહિત રાજ્યના જુનિયર ડોક્ટરોની હડતાળ સમેટાઈ, આવતીકાલથી ફરજ પર જોડાશે

spot_img
Share

અમદાવાદ : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ-હત્યાના બનાવ બાદ ગુજરાતભરના રેસિડન્ટ ડોક્ટરો હડતાલ પર ઊતર્યા હતા. 16 ઓગસ્ટથી ઇમર્જન્સી સેવા સિવાયની તમામ સેવાઓ અનિશ્ચિત કાળ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.જોકે આખરે 6 દિવસ બાદ એટલે કે 21મી ઓગસ્ટે સાંજે હડતાળનો અંત આવી ગયો છે. રાજ્ય સરકારે ડોક્ટર્સની સુરક્ષા માટે CRPF તહેનાત કરવા સહિતની માંગો સ્વીકારી લીછી છે. જે બાદ આવતીકાલથી બી.જે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર્સ ફરજ પર પરત ફરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જુનિયર ડોક્ટર એસોસિયેશને જણાવ્યું હતું કે આજે CRPF તહેનાત કરવા સહિતની અમારી સુરક્ષા અંગે રાજ્ય સરકાર દ્વારા તમામ માગો પૂરી કરવાની ખાતરી આપવામાં આવી છે, જેથી અમે બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર હડતાલ પૂર્ણ કરવા સહમત થયા છે. અમે અમારી ફરજ પર પરત ફરીએ છીએ.આવતીકાલથી બી.જે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર્સ ફરજ પર પરત ફરશે.

હકીકતમાં કોલકાતામાં 31 વર્ષીય મહિલા તબીબની ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરીને હત્યા કરી નાખવામાં આવી હતી. ટ્રેઈની ડોક્ટર પર થયેલા આ અત્યાચારથી દેશભરમાં રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને તબીબોમાં ઘટનાનો વિરોધ નોંધાવીને ન્યાયની માંગણી સહિત હોસ્પિટલમાં તબીબોને સુરક્ષા આપવા સહિતની વિવિધ માંગણીઓને લઈને 16 ઓગસ્ટથી હડતાળ પર ઉતર્યા હતા.

અમદાવાદની બી.જે મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર્સ દ્વારા 6 દિવસથી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જેને લઈને OPD અને વોર્ડ સર્વિસ બંધ રખાતા ઘણા દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જોકે તબીબોએ ઈમરજન્સી સેવા ચાલુ રાખી હતી. તમામ તબીબો કોલેજના કેમ્પસમાં જ હડતાળ પર બેઠા હતા અને રેલી પણ યોજી હતી. જેમાં કોલકાતાના મહિલા ડોક્ટર માટે ન્યાય તથા હેલ્થવર્કર્સ માટે સુરક્ષાનો કાયદો બનાવવા માંગ કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...