Saturday, May 2, 2026

અમદાવાદ સહિત રાજ્યના જુનિયર ડોક્ટરોની હડતાળ સમેટાઈ, આવતીકાલથી ફરજ પર જોડાશે

spot_img
Share

અમદાવાદ : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ-હત્યાના બનાવ બાદ ગુજરાતભરના રેસિડન્ટ ડોક્ટરો હડતાલ પર ઊતર્યા હતા. 16 ઓગસ્ટથી ઇમર્જન્સી સેવા સિવાયની તમામ સેવાઓ અનિશ્ચિત કાળ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.જોકે આખરે 6 દિવસ બાદ એટલે કે 21મી ઓગસ્ટે સાંજે હડતાળનો અંત આવી ગયો છે. રાજ્ય સરકારે ડોક્ટર્સની સુરક્ષા માટે CRPF તહેનાત કરવા સહિતની માંગો સ્વીકારી લીછી છે. જે બાદ આવતીકાલથી બી.જે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર્સ ફરજ પર પરત ફરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જુનિયર ડોક્ટર એસોસિયેશને જણાવ્યું હતું કે આજે CRPF તહેનાત કરવા સહિતની અમારી સુરક્ષા અંગે રાજ્ય સરકાર દ્વારા તમામ માગો પૂરી કરવાની ખાતરી આપવામાં આવી છે, જેથી અમે બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર હડતાલ પૂર્ણ કરવા સહમત થયા છે. અમે અમારી ફરજ પર પરત ફરીએ છીએ.આવતીકાલથી બી.જે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર્સ ફરજ પર પરત ફરશે.

હકીકતમાં કોલકાતામાં 31 વર્ષીય મહિલા તબીબની ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરીને હત્યા કરી નાખવામાં આવી હતી. ટ્રેઈની ડોક્ટર પર થયેલા આ અત્યાચારથી દેશભરમાં રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને તબીબોમાં ઘટનાનો વિરોધ નોંધાવીને ન્યાયની માંગણી સહિત હોસ્પિટલમાં તબીબોને સુરક્ષા આપવા સહિતની વિવિધ માંગણીઓને લઈને 16 ઓગસ્ટથી હડતાળ પર ઉતર્યા હતા.

અમદાવાદની બી.જે મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર્સ દ્વારા 6 દિવસથી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જેને લઈને OPD અને વોર્ડ સર્વિસ બંધ રખાતા ઘણા દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જોકે તબીબોએ ઈમરજન્સી સેવા ચાલુ રાખી હતી. તમામ તબીબો કોલેજના કેમ્પસમાં જ હડતાળ પર બેઠા હતા અને રેલી પણ યોજી હતી. જેમાં કોલકાતાના મહિલા ડોક્ટર માટે ન્યાય તથા હેલ્થવર્કર્સ માટે સુરક્ષાનો કાયદો બનાવવા માંગ કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...