Tuesday, January 20, 2026

અમદાવાદ સહિત રાજ્યના જુનિયર ડોક્ટરોની હડતાળ સમેટાઈ, આવતીકાલથી ફરજ પર જોડાશે

spot_img
Share

અમદાવાદ : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ-હત્યાના બનાવ બાદ ગુજરાતભરના રેસિડન્ટ ડોક્ટરો હડતાલ પર ઊતર્યા હતા. 16 ઓગસ્ટથી ઇમર્જન્સી સેવા સિવાયની તમામ સેવાઓ અનિશ્ચિત કાળ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.જોકે આખરે 6 દિવસ બાદ એટલે કે 21મી ઓગસ્ટે સાંજે હડતાળનો અંત આવી ગયો છે. રાજ્ય સરકારે ડોક્ટર્સની સુરક્ષા માટે CRPF તહેનાત કરવા સહિતની માંગો સ્વીકારી લીછી છે. જે બાદ આવતીકાલથી બી.જે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર્સ ફરજ પર પરત ફરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જુનિયર ડોક્ટર એસોસિયેશને જણાવ્યું હતું કે આજે CRPF તહેનાત કરવા સહિતની અમારી સુરક્ષા અંગે રાજ્ય સરકાર દ્વારા તમામ માગો પૂરી કરવાની ખાતરી આપવામાં આવી છે, જેથી અમે બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર હડતાલ પૂર્ણ કરવા સહમત થયા છે. અમે અમારી ફરજ પર પરત ફરીએ છીએ.આવતીકાલથી બી.જે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર્સ ફરજ પર પરત ફરશે.

હકીકતમાં કોલકાતામાં 31 વર્ષીય મહિલા તબીબની ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરીને હત્યા કરી નાખવામાં આવી હતી. ટ્રેઈની ડોક્ટર પર થયેલા આ અત્યાચારથી દેશભરમાં રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને તબીબોમાં ઘટનાનો વિરોધ નોંધાવીને ન્યાયની માંગણી સહિત હોસ્પિટલમાં તબીબોને સુરક્ષા આપવા સહિતની વિવિધ માંગણીઓને લઈને 16 ઓગસ્ટથી હડતાળ પર ઉતર્યા હતા.

અમદાવાદની બી.જે મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર્સ દ્વારા 6 દિવસથી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જેને લઈને OPD અને વોર્ડ સર્વિસ બંધ રખાતા ઘણા દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જોકે તબીબોએ ઈમરજન્સી સેવા ચાલુ રાખી હતી. તમામ તબીબો કોલેજના કેમ્પસમાં જ હડતાળ પર બેઠા હતા અને રેલી પણ યોજી હતી. જેમાં કોલકાતાના મહિલા ડોક્ટર માટે ન્યાય તથા હેલ્થવર્કર્સ માટે સુરક્ષાનો કાયદો બનાવવા માંગ કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...