Friday, March 13, 2026

ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળાના બાળકોએ રાધા-કૃષ્ણ બની જન્માષ્ટમી પર્વની ધામધુમથી ઉજવણી કરી

spot_img
Share

અમદાવાદ : ઘાટલોડિયા સ્થિત જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળા ખાતે આનંદ અને ભક્તિ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. ભગવાન શ્રીકૃષ્ણ જન્મ જન્માષ્ટમીના શુભ અવસરે આ ઉત્સવને ખાસ શાળાના કેમ્પસમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રવૃત્તિઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના બાળકો તથા શિક્ષકો ભક્તિમય વાતવારણમાં મગ્ન બન્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઘાટલોડીયામાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળા અને શ્રી આદ્યશક્તિ પ્રાથમિક શાળામાં જન્માષ્ટમીની શાનદાર ઉજવણી કરવામાં આવી. જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળાના 200 અને શ્રી આદ્યશક્તિ પ્રાથમિક શાળા 250 થી વધારે વિદ્યાર્થીનીઓ-વિદ્યાર્થીઓએ ગોરા કુંભાર એકાંકી, કુંવરબાઈનું મામેરુ, મટકી ફોડ, રાસ જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોએ રાધા-કૃષ્ણ બની જન્માષ્ટમી પર્વની ધામધુમથી ઉજવણી કરી હતી. તેનો તમામ વિદ્યાર્થીઓએ આનંદ લીધો હતો. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશો દ્વારા મૂર્તિમંત પ્રેમ, શાંતિ અને સંવાદિતાનો સંદેશ ફેલાવવાનો હતો.

જન્માષ્ટમીની ઉજવણીના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ડેકોરેશન રહ્યું હતું. જેમાં કેળાથી ગોવર્ધન પર્વત ડેકોરેશન વાળી માટલી, વાંસળી, મોરપીંછ અને રંગોળી એ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે ઘાટલોડીયા વિસ્તારના પ્રજાજનો પણ આ પ્રસંગનો આનંદ લેવા ઉમટી પડ્યા હતા. કાર્યક્રમના અંતમાં આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર માન્યો હતો.

આ અગાઉ શાળામાં સૈનિક કલ્યાણ નિધિ ફંડ પ્રોત્સાહન કાર્યક્રમ યોજાઈ ગયો. દેશ માટે શહીદ થયેલ થઈ પોતાની કુરબાની આપી દેનાર શહીદોના અને દેશની રક્ષા કરતા અપંગ બનેલા નિ:સહાય પરિવારોને મદદ કરવાના ઉદ્દેશથી સૈનિક કલ્યાણ નિધિ ફંડ પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોટીવેશનલ સ્પીકર પ્રોફેસર ગજેન્દ્રસિંહ રાઠોડ અને પૂર્વ આચાર્ય રાજેન્દ્રકુમાર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હાજરી આપી વિદ્યાર્થીઓને સૈનિક ફંડ માટે પ્રોત્સાહિત કર્યા અને ભવિષ્યમાં સેનામાં અધિકારી બનવા માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...