Thursday, April 30, 2026

અમદાવાદ કા રાજાની વિન્ટેજ કારમાં જાજરમાન પધરામણી, ભક્તોની મનોકામના પુર્ણ કરતાં હોવાની અનોખી માનતા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં સતત 18 વર્ષથી નહેરુનગર પાસે ‘અમદાવાદના રાજા’ સાર્વજનિક ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. નહેરુનગર પાસે સહજાનંદ કોલેજ પાસે સતત 7 દિવસ સુધી એક વિશાલ પંડાલમાં ‘અમદાવાદના રાજા’ બિરાજમાન રહેશે. સાતમા દિવસ બાદ 13 સપ્ટેમ્બરે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.

‘અમદાવાદના રાજા’ પંડાલના આયોજક આનંદ દોશીના કહેવા પ્રમાણે અમદાવાદના પશ્ચિમમાં નારણપુરા, સોલા ઘણી બધી જગ્યાએ બાપ્પાની સ્થાપના થાય છે ગણપતિ બાપા આમ જોઈએ તો બધે એકસરખા જ છે અને એવું હોય તો આવતા વર્ષે આપણે ગણપતિ બાપાની સ્થાપના કરીશું જે ‘લાલ બાગચા રાજા’ જેવા હોય.” અહીં સતત 18 વર્ષથી ‘લાલ બાગચા રાજા’ જેવા લુક વાળા 7 ફૂટના ‘અમદાવાદ કા રાજા’ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે.સાતમા દિવસ બાદ 13 સપ્ટેમ્બરે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.

અત્યાર સુધી ‘અમદાવાદના રાજા’ને હાથી પર બેસાડીને શોભાયાત્રા યોજવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે અલગ રીતે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે વિન્ટેજ કારમાં બેસાડીને ‘અમદાવાદના રાજા’ની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સારા મુહૂર્તમાં ગણેશજીની વિધિવત સ્થાપના કરવામાં આવી. જે બાદ આરતી ઉતારીને અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પંડાલના આયોજક આનંદ દોશીના કહેવા પ્રમાણે ‘અમદાવાદના કા રાજા’ના દર્શને આવતા અનેક લોકોની માનતા પૂરી થઈ છે. દર્શન કરીને લોકો શ્રીફળ અને મનોકામના પ્રમાણે દાદાને વસ્ત્ર કે પછી મીઠાઈ લઈને આવે ત્યારે ખબર પડે કે લોકોએ અહીં બાળકની માનતા માટે કે ધન ધાન્ય સુખ સમૃદ્ધિ માટે માનતા માની હતી જે પૂરી થઈ. આવતા વર્ષે જ્યારે બાપ્પા આવે ત્યારે લોકો માનતા પૂરી કરવા માટે આવતા હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...