Wednesday, March 4, 2026

આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં નહિ યોજાય ગરબા, સરકારે જાહેર કર્યો શોક

spot_img
Share

અમદાવાદ : ગઈકાલે એટલે કે 9મી ઑક્ટોબરની રાત્રે એક એવા સમાચાર સામે આવ્યા જેણે સમગ્ર દેશને શોકમાં ગરકાવ કરી દીધો. મોડી રાત્રે રતન ટાટાના નિધનના સમાચાર સામે આવ્યા હતા. રતન ટાટાના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. આ સાથે જ ગુજરાતમાં જયારે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે આ દુઃખદ ઘટના બની છે. રાજ્યમાં આજે શોક જાહેર કરવામાં આવ્યો છે. જેને પગલે આજે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં રાજ્યસરકાર દ્વારા યોજાતા ગરબા આજે બંધ રાખવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઉદ્યોગપતિ રતનટાટાના નિધનને લઈને દેશભરમાં હાલ શોકનો માહોલ ફેલાઈ ગયો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પદ્મવિભૂષણથી સન્માનિત ટાટાના ગ્રૂપના મોભી રતન ટાટાના નિધન અંગે શોક વ્યક્ત કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલી પાઠવી છે. સાથેજ રાજ્ય સરકાર દ્વારા આજે 10 ઓક્ટોબરના રોજ એક દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે.જેને પગલે આજે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં રાજ્યસરકાર દ્વારા યોજાતા ગરબા આજે બંધ રાખવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા એ નામોમાંથી એક હતા જેમને દેશના દરેક વ્યક્તિએ પસંદ કર્યું હતું અને ભવિષ્યમાં પણ તે કરવાનું ચાલુ રાખશે. થોડા દિવસો પહેલા રતન ટાટાની તબિયત બગડી હતી અને ત્યારબાદ તેમને સારવાર માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં મોડી રાત્રે રતન ટાટાના નિધનના સમાચાર સામે આવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...