Monday, January 19, 2026

અમદાવાદમાં દિવાળીની રાત રહી ભારે ! મકાન અને દુકાનોમાં આગ લાગવાના 80 થી વધુ કોલ મળ્યા

spot_img
Share

અમદાવાદ: દિવાળીની રાત અમદાવાદ માટે ભારે રહી છે. દિવાળીની રાત્રે અમદાવાદ શહેરમાં પણ ફાયર વિભાગના અલગ અલગ કોલ મળ્યા હતા. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં મકાન અને દુકાનોમાં આગ લાગવાના 80 થી વધુ કોલ મળ્યા હતા. જેમાં મુખ્યતવે થલતેજ, નિકોલ અને મિરઝાપુર વિસ્તારમાં મકાનમાં આગ લાગી હોવાના કોલ મળ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નિકોલની કર્મભૂમિ સોસાયટી ઉપર આવેલી એક દુકાનમાં લાગી હતી. તો નિકોલ રિંગ રોડ પર આવેલી સુપ્રિયા હોટલ નજીક આગનો બનાવ બન્યો હતો. જ્યારે થલતેજની મધુવન સોસાયટીની ત્રીજા માળે મકાનમાં આગનો બનાવ બન્યો હતો. ધાબે પડી રહેલા કચરામાં રોકેટ પડવાથી આગ લાગી હતી. જ્યારે અમદાવાદના મિરઝાપુર કબાડી માર્કેટમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો. ત્રણ ખુણીયા બગીચા નજીક આવેલા કબાડી માર્કેટમાં લાગી આગ લાગી હતી.

મિરઝાપુર કબાડી માર્કેટમાં ફાયરબ્રિગેડ દ્વારા વહેલી સવાર સુધી પાણીનો મારો ચલાવી આગને બૂઝાવી દેવામાં આવી હતી. ચારથી પાંચ લાખ લીટર પાણીનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. સવાર સુધી ફાયરબ્રિગેડ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. આગ લાગવાની ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નથી. ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

અમદાવાદ ફાયર બ્રિગેડને મળેલા આગના કોલ

કચરાના કોલ 35
ફેક્ટરીના કોલ 2
શોર્ટ સર્કિટ 3
દુકાન 8
મકાન 20
સ્કૂલ 1
ઈલેક્ટ્રિંક ડીપી 2
ઝાડ 1
ઓફિસ 1
કબાડી માર્કેટ 1
ભંગાર 1
ગોડાઉન 3
વાહન 2
કુલ 80

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...