Friday, March 13, 2026

ઉસ્માનપુરા ગામમાં વગર વરસાદે બેસી ગયો રોડ, મકાન ભુવામાં પડ્યું, સ્થાનિકોમાં ભારે રોષ

spot_img
Share

અમદાવાદ : શહેરના ઉસ્માનપુરા ગામમાં વગર વરસાદે આખો રોડ બેસી ગયો હોવાની ઘટના સામે આવી છે. ગામમાં રોડ પર આવેલાં કાચા મકાનો અને ઝૂંપડાઓ જેના કારણે આખું મકાન રોડમાં બેસી ગયું હતું. મકાનમાં રહેલા લોકોનો આબાદ બચાવ થયો છે. સ્થાનિકો દ્વારા મકાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રોડને બેરિકેટ કરી ત્યાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. વાહનોની અવર-જવર પણ બંધ કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સોમવારે બપોરે શહેરના ઉસ્માનપુરા ગામ પાસે એકાએક આખો રોડ બેસી ગયો હતો. રોડના એક તરફનો રોડનો ભાગ આખો જાણે ભૂકંપ આવ્યો હોય તેમ બેસી ગયો હોવાના પગલે લોકોમાં ભય ફેલાયો હતો. રોડ પાસે આવેલું મકાન ધસી પડયું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, રોડ ક્યારનો ખરાબ હતો. અમે રજૂઆત કરી પરંતુ કોઈ સાંભળતું નહોતું, જેનાં કારણે આ રોડ બેસી ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામમાં ક્યારેય ધ્યાન જ નથી આપતું હોવાથી લોકો હેરાન થાય છે, તેવા આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા હતા.

સમગ્ર ઘટના અંગે સ્થાનિકોએ કહ્યું કે રોડ છેલ્લા અનેક સમયથી ખરાબ હાલતમાં હતો.કોર્પોરેશનને અનેક ફરિયાદો છતાં રોડનું સમારકામ ન થતાં આખરે રોડમાં મોટો ભૂવો પડ્યો છે.સ્થાનિકો દ્વારા મકાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.રોડને બેરિકેટ કરી ત્યાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. વાહનોની અવર-જવર પણ બંધ કરી દેવામાં આવી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...