Saturday, January 24, 2026

ઘાટલોડીયામાં પરિણીતાએ માતાને મેસેજ કરી આત્મહત્યા, મમ્મી…બેડ કે નીચે સુસાઇડ નોટ હૈ…

spot_img
Share

અમદાવાદ: એક શંકાકુશંકા લગ્નજીવનમાં કેટલી ઘાતક સાબિત થઇ શકે છે તેનુ ચોંકાવનારું ઉદાહરણ અમદાવાદના ઘાટલોડિયામાંથી સામે આવ્યું છે. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી પરિણીતાએ 8મી નવેમ્બરના દિવસે દવા ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા પરિણીતાએ તેની માતાને ‘બેડ કે નીચે સુસાઇડ નોટ રાખી હૈ, પોલીસ પૂછે તો બતા દેના..’ તેવો મેસેજ કર્યો હતો અને દવા ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જોકે પરિણીતાના પિતાએ અનેક ફોન કરવા છતાં તેણે ફોન રિસીવ ન કરતા અંતે તેમણે મહારાષ્ટ્રથી ઘાટલોડિયા પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા પરિણીતાએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્ર રાજ્યના પુના જિલ્લામાં આવેલા લક્ષ્મી નંદનવન એપાર્ટમેન્ટમાં 68 વર્ષિય સુરેશચંદ્ર મિશ્રાએ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં જમાઇ ગીરીરાજ શર્મા વિરૂદ્ધ આત્મહત્યાની દુષપ્રેરણાની ફરિયાદ કરી છે. ગીરીરાજ શર્માની પત્ની પલ્લવીએ પતિના ત્રાસથી પોતાના ઘરે ઉંઘની ગોળીઓનો ઓવરડોઝ લઇ જીવ આપી દીધો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસ કરતાં પોલીસને સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પતિના શંકાશીલ સ્વભાવને કારણે આપઘાત કર્યાનો પલ્લવીએ ઉલ્લેખ કર્યો હતો.

પરિણીતાને અગાઉના પતિ સાથે મનમેળ ન આવતા વર્ષ 2011માં છૂટાછેડા લીધા હતા. બાદમાં તેના દીકરા સાથે પિતાના ઘરે રહેતી હતી. જોકે બીજા લગ્ન કરવા માટે તેમણે મેટ્રોમોનિયલ સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે મારફતે તેમનો સંપર્ક ગિરિરાજ શર્મા સાથે થયો હતો. જે મૂળ રાજસ્થાનનો છે અને અમદાવાદમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું. જેના પત્ની અગાઉ મૃત્યુ પામ્યા હતા અને બે બાળકો માતા-પિતા સાથે રહે છે.

જોકે પરિણીતાએ તેની સાથે વાતચીત કર્યા બાદ પરિવારની સંમતિથી લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેઓ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સંકલ્પ રો હાઉસમાં રહેતા હતા. લગ્નના એકાદ મહિના બાદ પરિણીતાએ તેના માતાને ફોન કરીને જાણ કરી હતી કે તેનો પતિ નાની-નાની બાબતોમાં બોલાચાલી, ઝઘડા કરે છે, શક વહેમ રાખે છે અને ઘરખર્ચ પણ આપતો નથી. જ્યારે પરિણીતાને જાણ કર્યા વગર દસ-પંદર દિવસ બહારગામ જતો રહે છે.

એટલું જ નહીં, પરિણીતા ગર્ભવતી થતાં તેનું મિસકેરેજ પણ કરાવ્યું હતું અને યોગ્ય સાર-સંભાળ ન રાખતા બે વખત મિસકેરેજ પણ થઈ ગયું હતું. પરિણીતાએ ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરતા તેના પતિએ ઘરનો તમામ ખર્ચ તેણે આપવાનો રહેશે તેમ કહીને તેની સાથે મારઝૂડ કરતો હતો.

પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને અંતે પરિણીતાએ તેના માતાને મેસેજ કરીને દવા ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જે બાબતની જાણ પોલીસને કરતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...