Tuesday, January 13, 2026

અમદાવાદીઓ આનંદો ! રિવરફ્રન્ટમાં બનાવાશે ઈમેજિકા પાર્ક, ક્યારે અને કોણ બનાવશે?

spot_img
Share

અમદાવાદ: વિશ્વસ્તરનો મનોરંજન થીમ પાર્ક ઈમેજિકા હવે અમદાવાદમાં આવી રહ્યો છે. મુંબઈ-પુણે હાઈવે પર ખોપોલીમાં બનેલા થીમ પાર્ક બાદ આ ઈમેજિકાનો દેશમાં બીજો મોટો થીમ પાર્ક હશે. સાબરમતી નદી પર રિવરફ્રન્ટમાં અટલ બ્રિજના પૂર્વ છેડે 45 હજાર સ્ક્વેર મીટર (4.56 હેક્ટર)માં આ પાર્ક તૈયાર થવા જઈ રહ્યો છે. આ માટે પુણેના ઈમેજિકા વર્લ્ડ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (SRFDCL)ની વચ્ચે એગ્રીમેન્ટ થઈ ચૂક્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઈમેજિકા વર્લ્ડ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (SRFDCL)ની વચ્ચે કરાર કરવામાં આવ્યા છે, પરંતુ આ પ્રોજેક્ટને હજુ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)ની મંજૂરી મળવાની બાકી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ લગભગ 3-4 મહિનાની અંદર કામગીરી શરૂ કરવામાં આવશે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ બે તબક્કામાં તૈયાર કરવામાં આવશે. તૈયાર થયા બાદ ગુજરાતનો આ પ્રથમ અને ભારતનો બીજો સૌથી મોટો થીમ પાર્ક બની જશે.

આ પ્રોજેક્ટનો પહેલો તબક્કો આઠ 10 મહિનામાં પૂર્ણ થઈ જશે. વળી ઈમેજિકા ગ્રુપનો આ પ્રોજેક્ટ 300 કરોડના ખર્ચે નિર્માણ થશે. થીમ પાર્કના નિર્માણ માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા 30 વર્ષની લીઝ પર જમીન ફાળવવામાં આવી છે. આ માટે જમીનના વાર્ષિક ભાડા લેખે 45.60 લાખ ચૂકવવાનો રહેશે અને તેમ વાર્ષિક દરે 10 ટકાનો વધારો કરવામાં આવશે. આ સિવાય ઇમેજિકાએ કમાણીમાંથી દર વર્ષે 12.25 ટકાનો હિસ્સો પણ આપવાનો રહેશે.

આ પ્રોજેક્ટના નિર્માણમાં કુલ 5 ઝોનનું નિર્માણ કરવામાં આવશે. જેમાં પ્રથમ ઝોનમાં 5 હજારની ભીડને નિયંત્રીત કરી શકાય તે મુજબનો ઓપન એરિયા રહેશે. ઝોન 2માં ટિકિટ વિન્ડોનું નિર્માણ કરવામાં આવશે. ઝોન 3માં ઈન્ટરનેશનલ બ્રાન્ડ ડેવ એન્ડ બસ્ટરનો ઈન્ડોર એન્ટરટેનમેન્ટ સ્ટોર હશે. આ ઝોનના સેકન્ડ ફ્લોર પર મલ્ટીલેવલ પાર્કિંગ હશે.

ઝોન ચારમાં મેક્સિકન કંપની કિડ્ઝાનિયાનો આઉટલેટ અને સ્નો પાર્ક હશે. ઝોન-5માં તમામ વયના લોકો માટે રોમાંચક ડ્રાઈવ હશે. અહીં પણ 2 રેસ્ટોરાં હશે. ટ્રેમ્પોલિન પાર્ક, ગો કાર્ટ, સાફ્ટ પ્લે એરિયા, રોલર કોસ્ટર, ફ્લાઈંગ થિયેટર (સિમ્યુલેશન રાઈડ) અને અન્ય રોમાંચક ગેમ્સ/ડ્રાઈવ રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...