Saturday, November 29, 2025

અમદાવાદમાં PMJAY કાર્ડમાં કૌભાંડ, માત્ર 1500 રૂપિયામાં 15 મિનિટમાં બની જતું આયુષ્યમાન કાર્ડ!

spot_img
Share

અમદાવાદ : ખ્યાતિ મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ચાલી રહેલી તપાસમાં ગુજરાતની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે. આયુષમાન કાર્ડ સરકારી પોર્ટલની ટેકનીકલ ખામીનો દુરોપયોગ કરી વેબસાઈટ ઉપર જઈ ત્યાં SOURCE CODE સાથે ચેડાં કરી ગુજરાતમાં હજારો કાર્ડ બન્યા છે. નિયમોનુસાર 2થી 3 દિવસમાં બનતું આયુષ્યમાન કાર્ડ ગુજરાતની ટોળકી માત્ર 15 મીનિટમાં બનાવી દેતી હતી. એ પણ આધાર પૂરાવામાં ચેડાં કરીને, આ એક કાર્ડ માટે 1500થી 2000 રૂપિયાનો ચાર્જ લેવાતો હતો. આ તો ફક્ત એક જ કૌભાંડ પકડાયું છે પણ સરકારી વેબસાઈટની ખામીને લઈને દેશભરની હોસ્પિટલોમાં આ પ્રકારનું કૌભાંડ ચાલતું હોય તો નવાઈ નહીં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડની તપાસ કરતી ક્રાઈમ બ્રાંચ પોલીસને વધુ એક ચોંકાવનારી માહિતી મળી છે. ખ્યાતિકાંડની તપાસ કરી રહેલ ક્રાઈમ બ્રાંચ પોલીસે PMJAY કાર્ડ કૌભાંડ આચરનાર ટોળકીનો પર્દાફાશ કર્યો. આ ટોળકીમાં અમદાવાદ, ભાવનગર, અને સુરત વિસ્તારના કુલ 6 લોકો સામેલ છે. આ 6ની ટોળકીએ પાત્રતા વગરના અનેક લોકોને PMJAY યોજનામાં સમાવેશ કરી સરકારને ચુનો લગાડ્યો.

પકડાયેલા આરોપી
કાર્તીક જશુભાઈ પટેલ (અમદાવાદ), ચિરાગ હરીસીંગ રાજપુત (અમદાવાદ), નિમેશ દિલીપભાઈ ડોડીયા (અમદાવાદ), મોહમદફઝલ શેખ (અમદાવાદ), મોહમદઅસ્પાક શેખ (અમદાવાદ), નરેન્દ્રસિંહ ગોહીલ, ઇમ્તીયાજ (ભાવનગર), રાશીદ (બિહાર), ઈમરાન જાબીર હુસેન કારીગર (સુરત) અને નિખીલ પારેખ (અમદાવાદ)

કોની છે કેવી ભૂમિકા…

1. કાર્તીક પટેલ ના કહેવાથી ચીરાગ રાજપુતે નીમેશ ડોડીયા પાસે કાર્ડ બનાવડાવતો હતો જે કાર્ડ ના ૧૫૦૦/-થી ૨૦૦૦/- લાભાર્થી પાસેથી વસુલવામાં અવતા હતા. જેમા નીમેશ ને રૂ.૧૦૦૦/- મળતા હતા.
2. આરોપી નિમેશ દિલીપભાઈ ડોડીયા દ્વારા આયુષમાન કાર્ડ બનવવાના અલગ અલગ પોર્ટ્સ વાપરતો હતો જે પોર્ટલોમાં જુદાજુદા કાર્ડો બનાવી આપવાની જાહેરાત કરી અલગ અલગ લોકો ના સંપર્કમા આવેલ હતો. તેમજ જુદાજુદા વોસ્ટએપ તથા ટેલીગ્રામ ગ્રુપ મા જોડાયેલ હતો.
3. આ ગ્રુપ મારફતે તે મો.ફઝલ, મો.અસ્ફાક, નરેન્દ્રસિંહ ગોહીલ અને ઈમ્તીયાઝ નાઓ સાથે સંપર્કમા આવેલ હતો.
4. આ તમામ લોકો એ મળીને આશરે ૧૨૦૦ થી ૧૫૦૦ જેટલા આયુષમાન કાર્ડ સરકારી પોર્ટલ ની ટેકનીકલ ખામીનો દુરોપયોગ કરી વેબસાઈટ ઉપર જઈ ત્યાં SOURCE CODE સાથે ચેડા કરી કાર્ડો બનાવેલ હતા.
5. નિમેશ ડોડીયા, નરેન્દ્રસિંહ ગોહીલ ને આયુષમાન કાર્ડ નુ E-KYC એર્પવ્ડ કરવામાટે Enser Communication Pvt. Ltd. કપંનીના નિખીલ પારેખ નાઓએ યુઝર આઈ.ડી. ગેરકાયદેસર રીતે બનાવી આપેલ હતુ જે પેટે તે માસીક ૮૦૦૦/- થી ૧૦૦૦૦/- લેતો હતો.
6. આયુષમાન કાર્ડ બનાવવાનો કોન્ટ્રાક્ટ સરકાર દ્વારા એન્સર કપની ને આપવામા આવેલ છે. જેમા લેવલ-૧ સુધીની પ્રકીયા તેમના દ્વારા કરવામાં આવતી હોય છે.
7. આ કાર્ડ બનાવવાની ખાતરી કરવા સારૂ અત્રેથી તમામ પ્રોસીજરની વીડીયોગ્રાફી કરી બનાવટી કાર્ડ બનાવવામાં આવેલ છે.

મોદી સરકારે આ યોજના 2018માં શરૂ કરી હતી. ભાજપના ચૂંટણી એજન્ડામાં આ યોજના પ્રાયોરિટીમાં હતી. ગુજરાતમાં 2018 થી 2022 સુધીમાં રાજ્યની સરકારી હોસ્પિટલો કરતાં ખાનગી હોસ્પિટલોને છ ગણા વધુ નાણાં આપવામાં આવ્યા છે. PMJAY યોજના હેઠળ સરકારી હોસ્પિટલોને માત્ર રૂ. 509 કરોડ ચૂકવવામાં આવ્યા છે. ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલોને રૂ. 2,884 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ યોજનાના લાભાર્થીઓ સામે સીધા સવાલો ઉઠ્યા છે.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ PMJAY યોજનામાં કેટલાક નિયમો અને ધારાધોરણ નિશ્ચિત કરાયા છે. આર્થિક પછાત તેમજ ગરીબી રેખા નીચે હેઠળ રહેતા લોકો બીમારીમાં સારી સારવાર મેળવી શકે તેવા ઉદેશ્ય હેઠળ આ PMJAY યોજના શરૂ કરવામાં આવી. આથી જ આ યોજનાને લઈને સરકાર દ્વારા કેટલાક નિયમો નક્કી કરાયા છે. જે અંતર્ગત નિશ્ચિત આવકથી ઓછી આવક ધરાવતા લોકોને જ PMJAY યોજનાનો લાભ આપવામાં આવે છે. પરંતુ પાત્રતા ના ધરાવતા લોકો પણ સરકારી યોજનાનો લાભ લેતા હોવાનો પર્દાફાશ થયો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...