Thursday, March 5, 2026

પહેલા દસ્તાવેજ કરો, પછી રિડેવલોપમેન્ટ કરો…દસ્તાવેજ માટે નવું પેકેજ જાહેર કરાય તેવી માગણી : હાઉસિંગ વસાહત મંડળ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા વર્ષો પહેલા બનાવેલ મકાનો જેવા LIG , MIG , HIG શ્રેણીમાં મોટાભાગના જર્જરીત અવસ્થામાં છે. આ બધા મકાનો સરેરાશ ૨૫ થી ૫૦ વર્ષ જુના છે.હાલ સરકાર અને હાઉસીંગ બોર્ડ દ્વારા રિડેવલોપમેન્ટ પોલીસી લાવવામાં આવી છે પરંતુ મોટાભાગની હાઉસીંગ સોસાયટીઓમાં અમુક લોકોના દસ્તાવેજ બાકી હોવાથી રિડેવલોપમેન્ટ પ્રક્રિયા ખોરંભે પડી રહી છે.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળની વાત માનીએ તો હાઉસીંગ બોડની વર્તમાન પોલીસી અસહ્ય, ત્રાસરૂપ અને અવ્યવહારુ અને સામાન્ય વર્ગને ના પોસાય તેવી છે જેમાં દસ્તાવેજ કરનારે પાછલા ૨૫ થી ૩૦ વર્ષ ના દંડ, વ્યાજ અને વધારાના બાંધકામ પેટે વર્તમાન મહેસુલી જંત્રી પ્રમાણે ચોરસ મીટર દીઠ સરેરાશ રુપિયા ૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ થવા જાય છે ઉપરાંત જેટલા વર્ષ જુના મકાન હોય તેના વર્ષ દીઠ રૂપિયા ૧૦૦૦ વહીવટી ચાર્જે રૂપે વસુલ કરે છે.દાખલા તરીકે ૨૦ વર્ષ જુના મકાન પેટે વહીવટી ખર્ચ એટલે ફાઈલ સાચવવાના રૂપિયા ૨૦૦૦૦ હાઉસીંગ બોર્ડ બેફામ રીતે વસુલ કરે છે જેનો કુલ અંદાજીત ખર્ચ એક મકાન દીઠ ૫ લાખ થી ૧૦ લાખ જવા થાય છે જે સામાન્ય જનતાને પોસાય શકે તેમ નથી.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળની માગણી છે કે ભૂતકાળમાં ૨૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એ રહીશો માટે રાહત પેકેજ જાહેર કરેલ હતું જેમાં રહીશોના મકાનનું વ્યાજ અને દંડની રકમ સંપૂર્ણપણે માફ કરેલ અને મકાનની મૂળ કિંમતમાં પણ ૧૦ % નું વળતર આપી દસ્તાવેજ નું પેકેજ જાહેર કર્યું હતું અને તેમાં રહીશોએ ઉમળકાભેર લાભ લીધો હતો.વધુમાં વધારાના બાંધકામ પેટે ૧ ચોમી દીઠ EWS માં રૂપિયા ૧૨૦, LIG માં રૂપિયા ૧૮૦, MIG માં રૂપિયા ૪૫૦ અને HIG માં ૬૫૦ રૂપિયા દંડ વસૂલી ને દસ્તાવેજો કરી આપ્યા હતા.

આ સિવાય જે રહીશોએ મૂળ માલિક પાસેથી મકાન પાવર ઓફ એટર્ની થી ખરીદ્યા હતા તેઓની પાસેથી નજીવી ટ્રાન્સફર ફી જેવી કે EWS માં રૂપિયા ૫૦૦ , LIG માં રૂપિયા ૫,૦૦૦ , MIG માં રૂપિયા ૭૫૦૦ અને HIG માં રૂપિયા ૧૦,૦૦૦ ભરીને મકાન માલિકો ને દસ્તાવેજ કરી આપ્યા હતા જેમાં અનેક હસ્તાંતરો ( પાવર ઓફ એટર્ની હોવા છતાં પણ અંતિમ કબ્જેદાર (પાવર ઓફ એટર્ની) પાસેથી ફક્ત એક જ વખત ટ્રાન્સફર ફી વસૂલી દસ્તાવેજ કરી આપ્યા હતા.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના સભ્ય દિનેશ બારડ અને બિપીનભાઈ પટેલે હાઉસીંગના દસ્તાવેજ મુદ્દે જણાવ્યું છે કે ભૂતકાળની જેમ દસ્તાવેજ માટે સરકાર કે હાઉસીંગ બોર્ડ કોઈ નવુ પેકેજ લાવે તો સરકારને કરોડો રૂપિયાની આવક થઈ શકે એમ છે અને હાઉસીંગ બોર્ડની વિવિધ સોસાયટીઓનો રિડેવલોપમેન્ટનો માર્ગ મોકળો થાય એમ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...