Wednesday, January 21, 2026

અમદાવાદમાં દારૂનો કેસ ન કરવા પોલીસકર્મી વતી લાંચ લેતો ખાનગી શખ્સ ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : એક વ્યક્તિ સામે દારૂનો કેસ ન કરવા તેની પાસે લાંચ માંગનારા પોલીસકર્મી સામે ગુનો નોંધાયો છે. જ્યારે પોલીસકર્મી વતી લાંચ લેનારી ખાનગી વ્યક્તિની એસીબીએ ધરપકડ કરી છે.આ કેસની વિગત મુજબ ફરીયાદીને ત્રણ ઇગ્લીસ દારૂની બોટલ સાથે નારોલ પો.સ્ટેની હદમાંથી પકડવામાં આવ્યો હતો. બાદમાં ફરીયાદીને કર્ણાવતી પોલીસ ચોકી ખાતે લઇ જવામાં આવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના નારોલ વિસ્તારમાં દારૂની ત્રણ બોટલ સાથે એક વ્યક્તિ ઝડપાયો હતો, જેને નારોલ પોલીસ સ્ટેશન હદમાં આવેલા કર્ણાવતી ચોકીમાં ફરજ બજાવતા બીપીનભાઈ અને એક ખાનગી માણસ બાલકૃષ્ણ શર્માએ આ સંદર્ભે કે દાખલ ન કરવા અને વાહન જપ્ત ન કરવા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી, આખરે વાતચીત બાદ સમગ્ર મામલો 70 હજાર રૂપિયા આપીને કે સેટલમેન્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના 20,000 તે સમયે રોકડા લીધા હતા જ્યારે બાકીના રૂ.૫૦,૦૦૦ નારોલમાં રહેતી ખાનગી વ્યક્તિ બાલૃષ્ણ એમ.શર્માને આપી દેવા જણાવ્યું હતું.

પરંતુ ફરીયાદીએ એ.સી.બી નો સંપર્ક કરી ફરીયાદઆપી હતી. જેને આધારે એસીબીની ટીમે નારોલ ગામમાં શૌર્ય રેસીડેન્સી એપાર્ટમેન્ટ પાસે જાળ બિછાવીને આરોપી બાલકૃષ્ણ શર્માને રૂ.50,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસે બાલકૃષ્ણની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર બિપીન પોલીસવાળાની શોધ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...