Tuesday, January 13, 2026

અમદાવાદના આ વિસ્તારોમાં AMC કોમ્યુનિટી હોલ તૈયાર, 9000થી 50000 ભાડું રહેશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં લગ્ન પ્રસંગ દરમિયાન ખાનગી હોલ અને પાર્ટી પ્લોટના ભાડા ખૂબ વધારે હોવાના કારણે મધ્યમ વર્ગીય લોકોને પોસાતાં નથી, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ લોકો બુકિંગ કરાવતા હોય છે ત્યારે આજે ગુરૂવારે મળેલી AMC સ્ટેન્ડિંગ કમિટીમાં નવા બનાવવામાં આવેલા જોધપુર, મક્તમપુરા અને ઇસનપુર વિસ્તારના 3 કોમ્યુનિટી હોલનું ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. સૌથી ઓછુ ભાડું ઇસનપુર કોમ્યુનિટી હોલનું 19000 જ્યારે સૌથી વધારે જોધપુરનું 50 હજાર નક્કી કરવામાં આ‌વ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના હોલ અને પાર્ટી પ્લોટનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે શહેરમાં જોધપુર વિસ્તારમાં 4660 ચો.મી. જગ્યામાં એ.સી. કોમ્યુનીટી હોલ તૈયાર કરવામાં આવ્યો છે. બે માળના હોલમાં પ્રથમ માળ ભાડુ રૂ. 30 હજાર, બીજા માળનું 30 હજાર નક્કી કરાયું છે. બંને માળનું ભાડું રૂ. 50 હજાર રહેશે. મક્તમપુરા વિસ્તારમાં 4110 ચો.મી.માં બે માળનો કોમ્યુનીટી હોલ બનાવવામાં આવ્યો છે. પ્રથમ માળનું ભાડુ રૂ. 20 હજાર જ્યારે બીજા માળનું ભાડું રૂ. 25 હજાર નક્કી કરાયું છે. બંને માળ સાથે ભાડે લેનાર માટે પ્રતિદિન રૂ. 40 હજાર રહેશે.હોલમાં સફાઈનો ચાર્જ અલગથી લેવામાં આવશે. કોમ્યુનિટી હોલના ભાડા નક્કી થતાની સાથે જ આગામી દિવસોમાં નાગરિકો આ હોલનો ઉપયોગ કરી શકે તેના માટે બુકિંગ પણ શરૂ થશે.

આ બંને હોલમાં સફાઇ માટે અલગથી રૂ.3000 પ્રતિદિન નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ઇસનપુર વિસ્તારમાં નવા બનેલા મલ્ટી એક્ટીવિટી સેન્ટરનું પણ દૈનિક ભાડુ નક્કી કરવામા આવ્યું છે. 744 ચો.મી. જગ્યામાં નાનો કોમ્યુનિટી હોલ હોવાના કારણે પ્રથમ માળનું ભાડુ રૂ.10 હજાર અને બીજા માળનું ભાડુ રૂ. 9 હજાર છે. જ્યારે બંને માળ સાથે રાખનાર માટે 19 હજારનો નક્કી કરવામાં આવ્યા છે. પ્રત્યેક માળ દિઠ રૂ.1000 જેટલો સફાઇ ચાર્જ વસુલવામાં આ‌વશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....