Friday, March 13, 2026

નારણપુરામાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ ક્લિનિકમાં કર્યો આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી

spot_img
Share

અમદાવાદ: શહેરના નારણપુરા AEC બ્રિજ નજીક આવેલ ફિઝિયોથેરાપીસ્ટ ક્લિનિક પર સોમવારે વહેલી સવારે એક યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જે બાબતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતા યુવતી પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેના પૂર્વ મંગેતરે તેની સાથે અવારનવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ થતાં યુવતી સાથે સગાઈ તોડી નાખી હતી. જે બાબતનું યુવતીને લાગી આવતા સતત ડિપ્રેશનમાં રહેતી અને અંતે તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરા વિસ્તારમાં AEC બ્રિજ નજીક આવેલા એક ક્લિનિકમાં બેચલર ઓફ ફિઝિયોથેરાપીસ્ટનો અભ્યાસ કરેલ 23 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. યુવતીની જે યુવક સાથે સગાઇ થઇ હતી એ યુવક નાના ચિલોડાના રહેવાસી અને હોમિયોપેથિક ડોક્ટર હતો. જે કરાઈ પોલીસ એકેડમી નજીક પોતાનું ક્લિનિક ચલાવે છે…સગાઈ બાદ બંને એકબીજાને મળતા હતાં. ત્યારે યુવક યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતો હતો. જો યુવતી ના પાડે તો તેની સાથે સગાઈ તોડી નાખવાની ધમકી આપતો અને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો.તેણે દુષ્કર્મ આચર્યા બાદ સગાઇ તોડી નાખતાં લાગી આવ્યું હતું. જેના પગલે યુવતીએ અંતિમ પગલું ભરી જીવનનો અંત આણ્યો હતો.

ત્રણેક મહિના પહેલા યુવતીએ આ બાબતની જાણ તેના માતા-પિતાને પણ કરી હતી. પરંતુ અંતે યુવકે યુવતીના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતા દશેક દિવસ પહેલા યુવતીના માતા-પિતાએ યુવકના માતા-પિતાને બોલાવીને આ બાબતની જાણ કરી હતી. જેથી તેમણે સગાઈ તોડી નાખી હતી. ત્યારથી યુવતી સતત ડિપ્રેશનમાં રહેતી હતી. સોમવારે વહેલી સવારે યુવતી શાહીબાગ એક પેશન્ટને ચેક કરવા માટે ગઈ હતી. ત્યારબાદ ઘણા દિવસથી નોકરીએ ગઈ ના હોવાથી નોકરીએ જવાનું કહીને ઘરેથી નીકળી હતી. પરંતુ ક્લિનિક પર પહોંચ્યા બાદ ફોન ના ઉપાડતા કે મેસેજનો જવાબ ના આપતા તેના માતા-પિતાએ અન્ય સ્ટાફ મારફતે ક્લિનિક પર તપાસ કરાવી હતી. જેમાં તેણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે. યુવતીએ સુસાઇડ નોટમાં પણ યુવક સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેણે લખ્યું છે કે ‘‘ઇન્ડિયામાં આવી ઘણી છોકરીઓ પર બળાત્કાર થતું હશે. એટલે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ.’’

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...