Thursday, January 15, 2026

નારણપુરામાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ ક્લિનિકમાં કર્યો આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી

spot_img
Share

અમદાવાદ: શહેરના નારણપુરા AEC બ્રિજ નજીક આવેલ ફિઝિયોથેરાપીસ્ટ ક્લિનિક પર સોમવારે વહેલી સવારે એક યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જે બાબતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતા યુવતી પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેના પૂર્વ મંગેતરે તેની સાથે અવારનવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ થતાં યુવતી સાથે સગાઈ તોડી નાખી હતી. જે બાબતનું યુવતીને લાગી આવતા સતત ડિપ્રેશનમાં રહેતી અને અંતે તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરા વિસ્તારમાં AEC બ્રિજ નજીક આવેલા એક ક્લિનિકમાં બેચલર ઓફ ફિઝિયોથેરાપીસ્ટનો અભ્યાસ કરેલ 23 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. યુવતીની જે યુવક સાથે સગાઇ થઇ હતી એ યુવક નાના ચિલોડાના રહેવાસી અને હોમિયોપેથિક ડોક્ટર હતો. જે કરાઈ પોલીસ એકેડમી નજીક પોતાનું ક્લિનિક ચલાવે છે…સગાઈ બાદ બંને એકબીજાને મળતા હતાં. ત્યારે યુવક યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતો હતો. જો યુવતી ના પાડે તો તેની સાથે સગાઈ તોડી નાખવાની ધમકી આપતો અને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો.તેણે દુષ્કર્મ આચર્યા બાદ સગાઇ તોડી નાખતાં લાગી આવ્યું હતું. જેના પગલે યુવતીએ અંતિમ પગલું ભરી જીવનનો અંત આણ્યો હતો.

ત્રણેક મહિના પહેલા યુવતીએ આ બાબતની જાણ તેના માતા-પિતાને પણ કરી હતી. પરંતુ અંતે યુવકે યુવતીના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતા દશેક દિવસ પહેલા યુવતીના માતા-પિતાએ યુવકના માતા-પિતાને બોલાવીને આ બાબતની જાણ કરી હતી. જેથી તેમણે સગાઈ તોડી નાખી હતી. ત્યારથી યુવતી સતત ડિપ્રેશનમાં રહેતી હતી. સોમવારે વહેલી સવારે યુવતી શાહીબાગ એક પેશન્ટને ચેક કરવા માટે ગઈ હતી. ત્યારબાદ ઘણા દિવસથી નોકરીએ ગઈ ના હોવાથી નોકરીએ જવાનું કહીને ઘરેથી નીકળી હતી. પરંતુ ક્લિનિક પર પહોંચ્યા બાદ ફોન ના ઉપાડતા કે મેસેજનો જવાબ ના આપતા તેના માતા-પિતાએ અન્ય સ્ટાફ મારફતે ક્લિનિક પર તપાસ કરાવી હતી. જેમાં તેણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે. યુવતીએ સુસાઇડ નોટમાં પણ યુવક સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેણે લખ્યું છે કે ‘‘ઇન્ડિયામાં આવી ઘણી છોકરીઓ પર બળાત્કાર થતું હશે. એટલે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ.’’

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...