Thursday, January 15, 2026

અમદાવાદમાં ડમ્પરે એક્ટીવાને લીધું અડફેટે, સ્થળ પર જ એક્ટીવા ચાલક યુવકનું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ડમ્પરચાલક બેફામ થયા છે, શહેરમાં ફરી એકવાર અકસ્માતના બનાવમાં નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. શહેરના વટવા વિસ્તારમાં એક્ટિવા પર જતા યુવકને ડમ્પરે કચડી નાખ્યો હતો. જેમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ સમગ્ર બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે સવારે એક્ટિવા લઇને એક યુવક વટવા કેનાલ તરફ પસાર થઈ રહ્યો હતો. તે સમયે ડમ્પરે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં ડમ્પરના ટાયર ફરી વળતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ થયા બાદ આસપાસના લોકો ભેગા થવા લાગ્યા હતા અને 108ને જાણ કરી હતી. પરંતુ યુવકનું મોત થયા બાદ ટ્રાફિક પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી.

આ બનાવો અંગે ટ્રાફિક પોલીસે અકસ્માતે મોતનો બનાવ નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે ડમ્પરના ચાલકની ધરપકડ કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અનેક વખત ડમ્પરની અડફેટે નિર્દોષ લોકોના મોત નીપજે છે. તે સમયે શહેરમાં ડમ્પરના અવરજવરને લઇને અનેક વિવાદો અગાઉ ઊભા થયા છે.

અમદાવાદ શહેરમાં બેફામ ઝડપે જતા ડમ્પરો કાળ બનીને અસંખ્ય લોકોનો ભોગ લઈ ચૂક્યા છે. ડમ્પર ચાલકો પર લગામ કસવામાં હાલ તો વહીવટી તંત્ર નિષ્ફળ જણાઈ રહ્યું છે. ડમ્પરોમાં પણ એસટી બસોની જેમ સ્પીડ લિમિટ મૂકવાની માગ પણ ઊઠી રહી છે. આ ઉપરાંત બેફામ વાહનો ચલાવી અકસ્માતો સર્જતા લોકોને કડક સજા અને ભારે દંડની જોગવાઈ કરવાની પણ લોકો માગ કરી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...