Tuesday, January 20, 2026

અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો, દારૂ સંતાડવાનો કીમિયો જાણી પોલીસ ચોંકી ગઈ

spot_img
Share

અમદાવાદ : દારૂ છુપાવવા માટે બુટલેગરો અવનવા કિમીયા શોધી રહ્યા છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કૃષ્ણનગર વિસ્તારમાં દરોડા પાડીને ગેરકાયદેસર દારૂના વેપારમાં સંડોવાયેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે અને મોટી માત્રામાં દારૂ જપ્ત કર્યો. સમગ્ર ઘટનામાં પોલીસે વિદેશી દારૂની 87 બોટલ, 20 બિયર કેન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે સૈજપુર બોઘા ટાવર નજીક શક્તિ ચોક, ફડેલી ખાતે દરોડા પાડીને શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી. જેમાં પોલીસે કૃષ્ણનગરના રહેવાસી સુધીર મુકેશભાઈ ગઢવી (ઉં.વ.36)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે 36,479 કિંમતનો વિવિધ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂની 87 બોટલ, 20 બિયર કેન સહિતનો કુલ 49,479 કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો. અને દારૂબંધી કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. જ્યારે વોન્ટેડ બે આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ આદરી છે.જ્યારે પોલીસને આ આઇડિયાની ખબર પડી તો પોલીસ પણ ચોકી ઊઠી હતી.

આરોપીએ શંકા ટાળવા માટે ઘરના મંદિરની જગ્યાએ આ તિજોરી વ્યૂહાત્મક રીતે બનાવી હતી. સમગ્ર ઘટનામાં એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે ગોપાલ સિંહ અને રાજેન્દ્ર સિંહ ઉર્ફે રાજુ ભગીરથ સિંહ રાજપૂત નામના બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.આમ જોઈએ તો બુટલેગરો દારૂ છૂપાવવા અવનવા કિમીયાઓ કરતા હોય છે, પરંતુ પોલીસ તેમે શોધખોળ કરીને પોલ ખોલતી હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...