Thursday, April 30, 2026

અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી કાલે નગરયાત્રાને લઈને ટ્રાફિક પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, આ રોડ-રસ્તા બંધ રહેશે

spot_img
Share

અમદાવાદ : આવતીકાલે એટલે કે 26મી ફેબ્રુઆરી એટલે અમદાવાદનો સ્થાપના દિવસ. અને સાથે જ મહાશિવરાત્રીના તહેવારની પણ ઉજવણી કરવામાં આવશે. આ સાથે જ સૌથી મોટી વાત એ છે કે આવતીકાલે 614 વર્ષ પછી અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા નગરયાત્રાએ નીકળવાના છે. એટલે આવતીકાલે ભદ્રકાળી માતાની રથયાત્રા નીકળશે. આ સાથે જ આ રથયાત્રા અંદાજે 6.30 કિલોમીટર લાંબી રહેશે. જેમાં લખો માઇભક્તો જોડાશે. આવતીકાલે સવારે 7 વાગ્યા બાદ નાગરયાત્રાનું પ્રસ્થાન થશે અને જુના અમદાવાદના વિસ્તારોમાં ફરશે. આ સાથે જ આ નગરયાત્રા દરમિયાન ટ્રાફિકનું સારી રીતે સંચાલન થઇ શકે તેના માટે કેટલાક વાહન વ્યવહારના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. અને તેમાં ક્યાં રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે તેને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

સવારે 5 વાગ્યાથી આ રોડ-રસ્તા બંધ રહેશે

ભદ્રકાળી માતાજીના મંદિરથી લઈ કારંજ પોલીસ સ્ટેશન થઈ ત્રણ દરવાજા
પાનકોર નાકાથી માણેકચોક ગોળ ગલી થઈ મ્યુનિસિપલ કોર્પોરેશન
ગોળલીમડાથી ખમાસા ચાર રસ્તા થઈ જગન્નાથ મંદિર
જમાલપુર શાકમાર્કેટથી ફૂલબજારથી રોંગ સાઈડમાં રિવરફ્રન્ટ અંદર
મહાલક્ષ્મી મંદિરથી વિક્ટોરીયા ગાર્ડન થઈ અખંડાનંદ સર્કલ
વસંત ચોકથી લાલદરવાજા થઈ અપના બજાર
સિદ્દી સૈયદની જાળીથી રોંગ સાઈડ થઈ વીજળી ઘરથી આગળ
બહુચર માતાના મંદિર થઈ પરત ભદ્રકાળી માતાજીના મંદિર સુધી

વૈકલ્પિક માર્ગ

વીજળી ઘર ચાર રસ્તાથી પાલિકા બજાર થઈ નહેરુબ્રિજ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી એલિસબ્રિજ થઈ વિક્ટોરીયા ગાર્ડન તરફનો માર્ગ
ગોળલીમડાથી રાયપુર દરવાજા થઈ એસટી ચાર રસ્તા થઈ જમાલપુર ચાર રસ્તા તરફનો માર્ગ
જમાલપુર ચાર રસ્તાથી ફૂલ બજાર થઈ સરદાર બ્રિજના પૂર્વ છેડાથી ડાબી બાજુના રોડ થઈ પૂર્વનો રિવરફ્રન્ટ રોડ થઈ કામા હોટલ રિવરફ્રન્ટ કટ થઈ ખાનપુર દરવાજાથી ઘી કાંટા તરફનો માર્ગ
કામા હોટલ રિવરફ્રન્ટ ટીથી ડાબી બાજુ વળી બેકરી સર્કલ થઈ રૂપાલી સિનેમાંથી જમણી બાજુ વળી નહેરુબ્રિજ તરફનો માર્ગ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...