Wednesday, February 11, 2026

અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી કાલે નગરયાત્રાને લઈને ટ્રાફિક પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, આ રોડ-રસ્તા બંધ રહેશે

spot_img
Share

અમદાવાદ : આવતીકાલે એટલે કે 26મી ફેબ્રુઆરી એટલે અમદાવાદનો સ્થાપના દિવસ. અને સાથે જ મહાશિવરાત્રીના તહેવારની પણ ઉજવણી કરવામાં આવશે. આ સાથે જ સૌથી મોટી વાત એ છે કે આવતીકાલે 614 વર્ષ પછી અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા નગરયાત્રાએ નીકળવાના છે. એટલે આવતીકાલે ભદ્રકાળી માતાની રથયાત્રા નીકળશે. આ સાથે જ આ રથયાત્રા અંદાજે 6.30 કિલોમીટર લાંબી રહેશે. જેમાં લખો માઇભક્તો જોડાશે. આવતીકાલે સવારે 7 વાગ્યા બાદ નાગરયાત્રાનું પ્રસ્થાન થશે અને જુના અમદાવાદના વિસ્તારોમાં ફરશે. આ સાથે જ આ નગરયાત્રા દરમિયાન ટ્રાફિકનું સારી રીતે સંચાલન થઇ શકે તેના માટે કેટલાક વાહન વ્યવહારના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. અને તેમાં ક્યાં રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે તેને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

સવારે 5 વાગ્યાથી આ રોડ-રસ્તા બંધ રહેશે

ભદ્રકાળી માતાજીના મંદિરથી લઈ કારંજ પોલીસ સ્ટેશન થઈ ત્રણ દરવાજા
પાનકોર નાકાથી માણેકચોક ગોળ ગલી થઈ મ્યુનિસિપલ કોર્પોરેશન
ગોળલીમડાથી ખમાસા ચાર રસ્તા થઈ જગન્નાથ મંદિર
જમાલપુર શાકમાર્કેટથી ફૂલબજારથી રોંગ સાઈડમાં રિવરફ્રન્ટ અંદર
મહાલક્ષ્મી મંદિરથી વિક્ટોરીયા ગાર્ડન થઈ અખંડાનંદ સર્કલ
વસંત ચોકથી લાલદરવાજા થઈ અપના બજાર
સિદ્દી સૈયદની જાળીથી રોંગ સાઈડ થઈ વીજળી ઘરથી આગળ
બહુચર માતાના મંદિર થઈ પરત ભદ્રકાળી માતાજીના મંદિર સુધી

વૈકલ્પિક માર્ગ

વીજળી ઘર ચાર રસ્તાથી પાલિકા બજાર થઈ નહેરુબ્રિજ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી એલિસબ્રિજ થઈ વિક્ટોરીયા ગાર્ડન તરફનો માર્ગ
ગોળલીમડાથી રાયપુર દરવાજા થઈ એસટી ચાર રસ્તા થઈ જમાલપુર ચાર રસ્તા તરફનો માર્ગ
જમાલપુર ચાર રસ્તાથી ફૂલ બજાર થઈ સરદાર બ્રિજના પૂર્વ છેડાથી ડાબી બાજુના રોડ થઈ પૂર્વનો રિવરફ્રન્ટ રોડ થઈ કામા હોટલ રિવરફ્રન્ટ કટ થઈ ખાનપુર દરવાજાથી ઘી કાંટા તરફનો માર્ગ
કામા હોટલ રિવરફ્રન્ટ ટીથી ડાબી બાજુ વળી બેકરી સર્કલ થઈ રૂપાલી સિનેમાંથી જમણી બાજુ વળી નહેરુબ્રિજ તરફનો માર્ગ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...