Thursday, April 30, 2026

અમદાવાદના આ ત્રણ વિસ્તારોમાં ખુલ્લા ગરનાળાને 50 કરોડના ખર્ચે ડેવલપ કરાશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ચોમાસાની સીઝન દરમ્યાન સામાન્ય વરસાદમાં પણ જળબંબાકાર થઈ જાય છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સાથે ડ્રેનેજ બેકિંગની સમસ્યા પણ રહે છે. તેમાં પણ જ્યાં ગરનાળા આવેલા છે તેવા વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત વિકટ બને છે. શહેરના રાણીપ, સાબરમતી, કાળી સહિતના વિસ્તારોમાં ખુલ્લા ગરનાળાના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે જેના કાયમી ઉકેલ માટે રૂ. 50 કરોડના ખર્ચથી વિસ્તારના ગરનાળા ડેવલપ કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતી રેલ્વે કોલોની કાળી ગરનાળા, રાણીપ બકરામંડી, પ્રબોધ રાવલ બ્રીજ, જલવિહાર STP થઈ સાબરમતી નદી સુધી ચંદ્રભાગાનું નાળુ પસાર થાય છે. આ નાળામાં ઝુંડાલ વિસ્તાર માથી વરસાદી પાણી ચાંદખેડા માનસરોવર થઈ IOC ક્રોસિંગ થઇ કાળી ગરનાળામાં આવે છે. ભૂત બંગ્લોઝથી જવાહર ચોક-સાત નાળા થઇ કાળી ગરનાળામાં આવે છે. વર્ષોથી ચાંદખેડા IOCથી કાળીગામ અને જવાહર ચોકથી સાત ગરનાળા સુધી પસાર થતુ નાળુ વર્ષોથી ખુલ્લુ છે.વર્ષો જૂનું ગરનાળુ ખુલ્લુ હોવાના કારણે ગંદકી અને વરસાદી પાણીના નિકાલમાં સમસ્યા થતી હતી. 50 કરોડના ખર્ચે ગરનાળાને RCC બોક્સ દ્વારા બંધ કરવામાં આવશે, જેના કારણે આસપાસના સ્થાનિક રહીશોને ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી મુક્તિ મળશે.

ખુલ્લા નાળાના કારણે થતી ગંદકીના કારણે આજુબાજુના રહીશોના આરોગ્ય જોખમાતું અને ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદી પાણીનો વ્યવસ્થિત નિકાલ થાય અને ડી-કેબીન ફાટકથી કાળીગામ સુધી નાળાની બાજુમાંથી પસાર થતો રોડ સાંકડો છે. જેથી અવરજવરમાં તકલીફ પડી રહી છે. જેને લઇને કોર્પોરેટર તેમજ સ્થાનિક ધારાસભ્ય હર્ષદ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, આ ખુલ્લા ગરનાળાને બંધ કરવામાં આવે. જેથી, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ખુલ્લા ગરનાળાને RCC બોક્સ મૂકવા પડે તે માટે રીમોલ્ડિંગ કરવા માટે પ્રક્રિયા કરવામાં આવી હતી.

વોટર સપ્લાય કમિટીમાં અંદાજે ચાર કિલોમીટર લાંબા ખુલ્લા ગરનાળાને બંધ કરવા માટે સુધાકર ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડને 50 કરોડના ખર્ચે કામગીરી કરવા અંગે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. ઘરનાડુ બંધ થવાના કારણે સાબરમતી રેલવે કોલોની, કાળીગામ, જવાહર ચોક તેમજ રાણીપ વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ ઓછું થશે. વરસાદી પાણીનો નિકાલ ઝડપી થઈ શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...