Tuesday, February 10, 2026

અમદાવાદના આ ત્રણ વિસ્તારોમાં ખુલ્લા ગરનાળાને 50 કરોડના ખર્ચે ડેવલપ કરાશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ચોમાસાની સીઝન દરમ્યાન સામાન્ય વરસાદમાં પણ જળબંબાકાર થઈ જાય છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સાથે ડ્રેનેજ બેકિંગની સમસ્યા પણ રહે છે. તેમાં પણ જ્યાં ગરનાળા આવેલા છે તેવા વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત વિકટ બને છે. શહેરના રાણીપ, સાબરમતી, કાળી સહિતના વિસ્તારોમાં ખુલ્લા ગરનાળાના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે જેના કાયમી ઉકેલ માટે રૂ. 50 કરોડના ખર્ચથી વિસ્તારના ગરનાળા ડેવલપ કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતી રેલ્વે કોલોની કાળી ગરનાળા, રાણીપ બકરામંડી, પ્રબોધ રાવલ બ્રીજ, જલવિહાર STP થઈ સાબરમતી નદી સુધી ચંદ્રભાગાનું નાળુ પસાર થાય છે. આ નાળામાં ઝુંડાલ વિસ્તાર માથી વરસાદી પાણી ચાંદખેડા માનસરોવર થઈ IOC ક્રોસિંગ થઇ કાળી ગરનાળામાં આવે છે. ભૂત બંગ્લોઝથી જવાહર ચોક-સાત નાળા થઇ કાળી ગરનાળામાં આવે છે. વર્ષોથી ચાંદખેડા IOCથી કાળીગામ અને જવાહર ચોકથી સાત ગરનાળા સુધી પસાર થતુ નાળુ વર્ષોથી ખુલ્લુ છે.વર્ષો જૂનું ગરનાળુ ખુલ્લુ હોવાના કારણે ગંદકી અને વરસાદી પાણીના નિકાલમાં સમસ્યા થતી હતી. 50 કરોડના ખર્ચે ગરનાળાને RCC બોક્સ દ્વારા બંધ કરવામાં આવશે, જેના કારણે આસપાસના સ્થાનિક રહીશોને ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી મુક્તિ મળશે.

ખુલ્લા નાળાના કારણે થતી ગંદકીના કારણે આજુબાજુના રહીશોના આરોગ્ય જોખમાતું અને ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદી પાણીનો વ્યવસ્થિત નિકાલ થાય અને ડી-કેબીન ફાટકથી કાળીગામ સુધી નાળાની બાજુમાંથી પસાર થતો રોડ સાંકડો છે. જેથી અવરજવરમાં તકલીફ પડી રહી છે. જેને લઇને કોર્પોરેટર તેમજ સ્થાનિક ધારાસભ્ય હર્ષદ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, આ ખુલ્લા ગરનાળાને બંધ કરવામાં આવે. જેથી, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ખુલ્લા ગરનાળાને RCC બોક્સ મૂકવા પડે તે માટે રીમોલ્ડિંગ કરવા માટે પ્રક્રિયા કરવામાં આવી હતી.

વોટર સપ્લાય કમિટીમાં અંદાજે ચાર કિલોમીટર લાંબા ખુલ્લા ગરનાળાને બંધ કરવા માટે સુધાકર ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડને 50 કરોડના ખર્ચે કામગીરી કરવા અંગે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. ઘરનાડુ બંધ થવાના કારણે સાબરમતી રેલવે કોલોની, કાળીગામ, જવાહર ચોક તેમજ રાણીપ વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ ઓછું થશે. વરસાદી પાણીનો નિકાલ ઝડપી થઈ શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...