Friday, November 14, 2025

અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે ઓવરસ્પીડમાં આવતી ખાનગી બસે બાઈકચાલકને કચડ્યો

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના વિજય ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે લક્ઝરીએ બાઈક ચાલકને કચડી નાખ્યો છે. ઘટનાસ્થળ પર જ બાઈક સવારનું મોત નિપજ્યું હતું. હેલ્મેટ પહેર્યું હોવા છતાં યુવાનનું માથું ફાટી ગયું હતું.અકસ્માત કયા કારણસર થયો હતો તે જાણવા માટે પ્રયાસ હાથ ધર્યા છે, અકસ્માતના પગલે ફરીથી ટ્રાફિક વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે.

મળતા અહેવાલ પ્રમાણે, અમદાવાદના વિજય ચાર રસ્તા પાસેથી ગાંધીનગરનો રહેવાસી રામચંદ્ર રાય નામનો યુવક બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે એક ખાનગી બસ ફુલ ઝડપે આવી રહી હતી અને તેણે બાઈકચાલકને અડફેટે લેતા તે નીચે પટકાયો હતો. આ સમગ્ર બનાવમાં બાઈકચાલક નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં પોલીસ આવી પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અકસ્માત થયો તે સમયે બસની સ્પીડ વધારે હતી. પોલીસે અકસ્માત સર્જી ફરાર ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતની જોઈ ન શકાય તેવી તસવીરો સામે આવી છે, જ્યારે પોલીસ દ્વારા આ ગંભીર અકસ્માત અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ ફરાર લક્ઝરી ડ્રાઈવર અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી અકસ્માત કેવી રીતે સર્જાયો, તે અંગે તપાસ હાથ ધરાશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...