Wednesday, February 11, 2026

અમદાવાદનો વિચિત્ર કિસ્સો: દીકરાના લગ્ન ધામધૂમથી કરવા પિતાએ એવો કાંડ કરી દીધો, જાણીને ચોંકી જશો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં પુત્રના લગ્ન માટે એક જૂના ગુનેગારે ફરી ગુનાખોરી શરૂ કરી, દિકરાના લગ્નને થોડો સમય બાકી હતો અને દિકરાના લગ્નમાં કોઈ બાબતની કમી ન રહી જાય તેના માટે લોકોને શિકાર બનાવવાનું શરૂ કર્યુ, જોકે આ ગુનાખોરી લાંબો સમય ન ચાલી અને અંતે આરોપી ઝડપાઈ ગયો. ઈસનપુર પોલીસે ચોરી અને છેતરપિંડી કરનાર બે ગુનેગારોની ધરપકડ કરીને અનેક ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. જોકે ગુનામાં ધરપકડ થતા દીકરાના લગ્ન સમય પિતાને જેલમાં રહેવુ પડે તેવી નોબત સર્જાઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઈસનપુર પોલીસે ચોરી અને છેતરપિંડીના ગુનામાં નાગજીભાઈ રબારી અને શૈલેષ સલાટ નામનાં મહેસાણાનાં જોટાણા તાલુકાનાં વતની આરોપીઓની ધરપકડ કરી છે. એટીએમમાં પૈસા ઉપાડવા આવતા વૃધ્ધ સિનિયર સિટીઝનને પૈસા ઉપાડવામાં મદદ કરવાનું કહીને આ આરોપીઓ તેઓનું એટીએમ કાર્ડ મેળવતા અને વાતોમાં ભેળવી પીન નંબર જાણી લીધા બાદ કાર્ડ બદલી બીજુ કાર્ડ આપી રવાના થઈ જતા હતા. થોડા સમય બાદ જ્યારે ભોગ બનનારને પોતાનાં ખાતામાં પૈસા ઉપાડ્યાનો મેસેજ આવે ત્યારે તેને આ બાબતની જાણ થતી અને ત્યાં સુધી તો આરોપીઓ પકડથી દૂર જતા રહેતા હતા.

આ જ પ્રકારનો એક ગુનો આરોપીઓએ ઈસનપુરમાં આચર્યો હતો, ઈસનપુરમાં રહેતા સિનિયર સિટીઝન રાજેશકુમાર કાછિયા ગોવિંદવાડી ખાતે આવેલ બેન્કના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા હતા, તે વખતે આરોપીએ એટીએમમાં ખરાબી હોવાનું જણાવી, મદદ કરવાના બહાને એટીએમ કાર્ડનો પિન નંબર જાણી, પોતાનું એટીએમ કાર્ડ લઈ, તેની જગ્યા કોઈ ઘાટલોડિયાના શખ્સનું એટીએમ કાર્ડ આપી, એટીએમ કાર્ડ બદલાવી, તે દિવસે અને બીજા દિવસે જુદા જુદા એટીએમ ખાતે જઈ કુલ 80 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા.

ફરિયાદી દ્વારા ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા એસીપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં ઈસનપુર પીઆઈ બી.એસ જાડેજા સહિતની ટીમે તપાસ કરી 150 જગ્યાઓ પરનાં 500 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી અંતે આ આરોપીઓને પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરી કરેલા 80 હજાર રૂપિયા કબ્જે કરવામાં આવ્યા હતા.

જેની બાદ પોલીસે અમદાવાદ શહેરમાં રાખવામાં આવેલ સીસીટીવી આધારે તથા બાતમીદાર થી મળેલ માહિતી આધારે આરોપીઓ નાગજીભાઈ પ્રભાતભાઈ રબારી અને શૈલેષભાઈ કનુભાઈ સલાટ ની ધરપકડ કરી હતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...