Tuesday, February 17, 2026

અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મચારીનું હાર્ટ એટેકથી મોત, ક્રાઈમબ્રાન્ચના હેડ કોન્સ્ટેબલે ગુમાવ્યો જીવ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત પોલીસ વિભાગમાં હાર્ટએટેકનું પ્રમાણ વધી રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મચારીનું હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર પોલીસ કર્મચારી અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ બચુભાઈને અચાનક હાર્ટએટેક આવ્યો હતો, સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું.એકજ અઠવાડીયામાં પીઆઈ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓનું હાર્ટ એટેકના કારણે મોત થતા પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મોડીરાતે અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરેશ પટણીનું ચાલુ ડ્યુટીએ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યુ છે. નરેશ પટણીના મોતથી ક્રાઇમ બ્રાંચમાં શોકનો માહોલ છવાયો છે. નરેશ પટણી એકદમ શાંત સ્વભાવના તેમજ ઉદાર જીવના હતા. નરેશ પટણી અચાનક મૃત્યુ થતા તેમના પરિવાર સહિત ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ શોકમાં છે.

છેલ્લા ત્રણ મહિનાથી ક્રાઇમબ્રાન્ચમાં ફરજ બજાવતા હતા અગાઉ તેઓ માધુપુરા પોલીસસ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. અગાઉ છેલ્લા ત્રણથી 7 દિવસમાં શહેરમાં ત્રણ પોલીસ કર્મચારીના હાર્ટએટેકથી મોત નિપજ્યા છે.

સતત કામના તણાવ અને અનિયમિત જીવન શૈલીના કારણે ગંભીર બીમારી અને શારીરિક માનસિક અસર થતી હોય છે તેવા સમયે દિવસ રાત કામ કરતા પોલીસ જવાનોને પણ તેની અસર થઈ રહી હોવાની શક્યતા છે.

આ અગાઉ પીઆઈ આર.એલ. ખરાડી હાલમાં ડીજી ઓફિસમાં કાર્યરત હતા, ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને સારવાર મળે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું. પીઆઈના નિધનથી પોલીસ દળ અને પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

અમદાવાદના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુન સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમને પરેડ દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેના કારણે તે ઢળી પડ્યા હતા, ઘટનાસ્થળે પોલીસ કર્મીઓ દ્વારા સીપીઆર આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...