Thursday, November 13, 2025

અમદાવાદમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં કર્યો ચોંકાવનારો આક્ષેપ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નરોડામાં કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે. કુબેરનગરમાં સંતોષી માતાજીનું મંદિર આવેલું છે. પૂજારીએ મંદિરના પરિસરમાં જ આત્મહત્યા કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર આવાસ યોજનામાં મંદિર તોડી પાડવા માટે કોર્પોરેશન અને બિલ્ડર દ્વારા સતત ત્રાસ આપવામાં આવ્યાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો મંદિર પરિસરમાં એકત્ર થઈ ગયા હતા.

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં સંતોષી માતાજીનું મંદિર આવેલું છે. મદિરના પૂજારી મહેન્દ્રભાઈ મીણેકરે મંદિર પરિસરમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પૂજારી પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. તેમાં બિલ્ડરો દ્વારા મંદિર તોડવા બાબતે ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો સાંપડી રહી છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક પૂજારીના પુત્રએ જણાવ્યું કે, મંદિર તોડવા બાબતે ધમકી આપવામાં આવી રહી હતી. છેલ્લા ચાર વર્ષથી ધમકી આપવામાં આવી હતી. બિલ્ડિરો અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કહેવામાં આવતું હતું કે, તમારું મંદિર તોડી પાડીશું. તમારે અહીં રહેવું હોય તો રહો. મંદિરની જગ્યા તમે ખાલી કરી દો. મંદિર તમને આપી દઇશું. મંદિરમાં તમે રહો અને તમારી ફરજ નિભાવો. જોકે મારા પિતાનું કહેવું હતું કે અમે તમને મંદિર નહીં તોડવા દઇએ. આ વર્ષો જૂનું મંદિર છે.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, આ મંદિર તોડીને અહીં આવાસ યોજના બનાવવામાં આવવાની હતી. ગરીબો માટે જે કરવામાં આવી રહ્યું છે તે સારું છે પણ મંદિર પણ કંઇક વિચારવું જોઇએ. મંદિર માટે પણ સારા પગલા ભરવા જોઇએ. મારા પિતાને સતત ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. ગઇકાલે પણ બધાને બોલાવીને કહેવામાં આવ્યું હતું કે, તમારી પાસે એક અઠવાડિયું છે. આ જગ્યા હવે ખાલી કરી દો. અમારી માત્ર એટલી માગ છેકે, મારા પિતાએ મંદિર બચાવવા માટે આ પગલું ભર્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...